________________
૧–સ્તવન વિભાગ : વીશી–પહેલી દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધે મામ; મ. જળ દીચે ચાતક ખીજવી રે, મેઘ હુએ તેણે શ્યામ. મ૦ ૩ પિલ પિઉ કરી તેમને જપું રે, હું ચાતક તુમે મેહ, મ. એક લહેરમાં દુઃખ હરે રે, વધે બમણે નેહ. મ. ૪ મોડું વહેલું આપવું રે, તે શી ઢીલ કરાય, મા વાચક જશ કહે જગધણી રે, તુમ તૂઠે સુખ થાય. મ. ૫
શ્રી સુવિધિનાથ જિન-સ્તવન
–(*)– [ સુ મેરી સુજની રજની ન જાવેર–એ દેશી ] લઘુ પણ હું તુમ મન નવિ માવું રે,
જગગુરૂ તમનેં દિલમાં લાવું રે, કુણને દીજે એ શાબાશી રે,
કહે શ્રી સુવિધિનિણંદ વિમાશી રે. મુજ મન આણમાંહિ ભક્તિ છે ઝાઝી રે, " તેહ દરીને તું છે માજી રે, યોગી પણ જે વાત ન જાણે રે,
તે અચરિજ કુણથી હુએ ટાણે રે. અથવા થિરમાંહી અથિર ન ભાવે રે,
માટે ગજ દરપણુમાં આવે રે, જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે,
તેહને દીજે એ શાબાશી રે.