________________ (7.3) દશા - જ્ઞાની પુરુષ, દાદા ભગવાન અને કેવળજ્ઞાનીની 389 તાદૃશ્ય દેખાયા કરે. કેવળજ્ઞાન સુધી પહોંચે છે ને, તે આ બધું એને ખબર પડતી જાય. - હવે આ બધું હું તો સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કેવા ભેગા થાય છે તે જોઈને કહું છું. ઉપયોગ દેતા, જુએ ફિલ્મરૂપ સર્વે પર્યાયો કેવળદર્શનમાં પ્રશ્નકર્તા આ જે જોઈને બોલવાની વાત છે તે જ્ઞાનમાં દેખાયેલું આપને કે કાયમ જોઈ શકો છો ? દાદાશ્રી: જ્યારે ઉપયોગ દઉ તે ઘડીએ જોવાય. તમે કહો કે “સત્તર વર્ષે તમે શું કર્યું'તું?” તો અમને આમ યાદ ના હોય કશું. ઉપયોગ દઉં કે દેખાય, બધું જ દેખાય. શરીરેય શું ક્રિયા કરતું'તું તે હઉ દેખાય અત્યારે. જેમ પહેલાની ફિલમ કાઢીએ ને, એવું દેખાય. અમારું આ કેવળદર્શન કહેવાય છે. પ્રશ્નકર્તા: જો કેવળદર્શન થયેલું હોય તો બધું જ કહી શકે. આપ પૂર્વભવ કહી શકો ખરા ? દાદાશ્રી : ના, એવું બધું અમને નથી દેખાતું. એ કેવળદર્શનને લાગતું નથી, એ તો બુદ્ધિનો વિષય છે. અમારામાં બુદ્ધિ બિલકુલ ના હોય. પ્રશ્નકર્તા: બુદ્ધિ ના હોય પણ જ્ઞાન તો હોયને? દાદાશ્રી જ્ઞાન હોય પણ એ જ્ઞાનની વસ્તુ નથી, એ બુદ્ધિની વાત છે. આ આગલા અવતારોને, તે બુદ્ધિનો વિષય છે, યાદશક્તિનો વિષય છે. અમને તો યાદશક્તિયે ના હોય. વર્તમાન પર્યાય દેખે પ્રજ્ઞાથી, ત જરૂર ચિત્ત-મતની પ્રશ્નકર્તા: દાદા, તમે કહો છો કે અમને બુદ્ધિ ને યાદશક્તિ ના હોય, પણ મનની શું સ્થિતિ હોય ? આ ભાઈ આવ્યા એટલે પહેલા વિચાર શરૂ થયા હશેને ?