________________ (પ.૧) વિર્ભાગજ્ઞાન 259 દાદાશ્રી : ના, ન્યુસન્સ ના કરે. એ ન્યુસન્સ વસ્તુ જુદી છે અને આ વિભંગીજ્ઞાન જુદું છે. વિભંગી હસતો હોય પાછો. આપણે ફસાતા જઈએ, એ હસતો હોય. પ્રશ્નકર્તા: હા, બરાબર છે. દાદાશ્રી : મેં બધા બહુ જોયેલા એવા. હું હઉં પકડાઈ જવું. આ જ્ઞાની છું તો પણ મને હઉ પકડી લે છે. કારણ કે એ વિભંગી છે. એને નાસી જવાની બધી ડિરેક્શનની છૂટ અને આપણને એક જ ડિરેક્શનમાં જવાની છૂટ. એને તો બધી જ ડિરેક્શન ખુલ્લી હોય. તમને સમજમાં આવી ગયુંને ? પ્રશ્નકર્તા : હા, હા. એને કોઈ પ્રકારે રિસ્ટ્રીક્શન (નિયંત્રણ) છે જ નહીં. દાદાશ્રી : નહીં, રિસ્ટ્રીક્શન એવું નહીં. એને કેમ કરીને સામા માણસને બાંધવો અને કેમ કરીને એની પાસેથી લાભ ઊઠાવવો એ જ હોય. પ્રશ્નકર્તા : બસ, બસ, બિલકુલ બરાબર, દાદાજી. દાદાશ્રી: એને ‘વિભંગી' કહું છું. મેં હઉ એવા જોયેલા. એટલે હું ફરી ત્યાં જઉં જ નહીં કે આ વિભંગી માણસ છે, આપણું કામ નહીં ત્યાં આગળ. એ વિર્ભાગજ્ઞાનીને વિર્ભાગજ્ઞાની જ પહોંચી વળે, બીજો ના પહોંચી વળે. ઊંધા રિવોલ્યુશન ને કર્યું કપટ જ પ્રશ્નકર્તા તો દાદા, એ કપટી ખરોને ? એનું મન કપટી ખરુંને? દાદાશ્રી : નર્યું કપટ જ, પણ હસી હસીને સરસ રીતે બધી વાત એવી મેલે, તે બોલે એવુંને, કે તમારા જેવા સીધાને તે પાંજરામાં ઘાલી દે. નહીં જોયેલા એવા ? પ્રશ્નકર્તા: જોયેલા દાદા, વકીલો હોય એવા કે જ્યાં પાણી ના હોય