________________ (4.3) ‘અક્સ'થી ઓળંગ્યા શ્રત, મતિ, અવધિ ને મન પર્યવ કાળ તે કર્મના દબાણે, જૂજ અત્યારે આ જ્ઞાત પ્રશ્નકર્તા H આજે કોઈ અવધિજ્ઞાની ખરા, અહીંયા આ ભારત વર્ષમાં ? દાદાશ્રી : ના. એ નાના પ્રમાણનું અવધિજ્ઞાન હોય. એટલે અવધિજ્ઞાન કહેવાય નહીં. પ્રશ્નકર્તાઃ હા, પણ આટલા મહાત્માઓ છે બધા, તો એ કેમ થતું નથી? દાદાશ્રી : એ આ દુષમકાળને લઈને. પ્રશ્નકર્તા H અહીંયા આપણા પર્યાયો કેટલા શુદ્ધ થઈ શકે ? કેટલા પ્રમાણમાં શુદ્ધ થઈ શકે ? કારણ કે આપણને અવધિજ્ઞાન એ બધું જ્ઞાન તો થવાનું નથી, તો ? દાદાશ્રી : એ જરૂર જ નહીં. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની જરૂર જ નથી, જેને મોક્ષ જોઈતો હોય તેને. જેને આ જગતની લીલા દેખાડવી હોય એને અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનની જરૂર છે. પણ આમાં રોગ ના પેસે, એ મોટામાં મોટું એવું હોવું જોઈએ ને ! આપણે તો મોક્ષે જવું છે અને લોકો મોક્ષમાં જાય એવો રસ્તો કરવો છે, બીજી કાંઈ પાઘડી-બાઘડી બાંધવી નથી. પ્રશ્નકર્તા : પણ એ આપોઆપ ના થાય? દાદા ? જરૂર પણ ન હોય છતાં પણ જો પર્યાયો શુદ્ધ થતા જાય તો..?