________________ 213 (2) શ્રુતજ્ઞાન પ્રશ્નકર્તા પ્રતીતિ ને જાણકારમાં ઘણો ફેરને ? દાદાશ્રી : પ્રતીતિમાં એ આ શિકાગોનું પ્લાનિંગ બધું કરી નાખે અને પછી જ્યારે જાતે જુએ ત્યારે એક્ઝક્ટ અનુભવજ્ઞાન કહેવાય. પ્રશ્નકર્તા: પ્રતીતિ જ્યારે જાતે જોઈએ ત્યારે ખોટી પડે ? દાદાશ્રી : ના, એવું ના થાય. પ્રશ્નકર્તા H અનુભવ અને શ્રુત એ બેમાં અંતર કેટલું ? દાદાશ્રી : અનુભવ થયો તો સારું, નહીં તો ખોટું. જેનું ફળ ના આવે એ નકામું, યુઝલેસ. શ્રુતનું ફળ ઉપર અનુભવનું ટૂંડું આવવું જ જોઈએ. શ્રુતનું ફળ અનુભવ આવવો જ જોઈએ ને ના આવ્યો તો એ કાપી નાખવું સારું. બીજું નવેસરથી રોપાણ કરવું સારું. નવી ડિઝાઈન પકડવી સારી. જે શ્રુતને ફળ ના આવે એ શ્રુત ખોટું હોય છે. એ પોઈઝનસ શ્રુત છે. ખોટું ના દેખાય, આ બુદ્ધિથી સાચું દેખાય પણ આમ પોઈઝનસ થયેલું હોય. શ્રુત જે છે તે અહંકારથી પોઈઝનસ થઈ જાય છે. એ પછી ભગવાનનું શ્રત હોય કે ગમે તેનું શ્રુત હોય પણ અહંકારથી પોઈઝનસ થઈ જાય. એટલે એને ફળ ના આવે. પ્રશ્નકર્તા H આપે આ શ્રુતનું ઉપરનું રૂપ બતાડ્યું, પણ જ્ઞાન અને શ્રત એ બન્નેનો ભેદ જાણવો છે. દાદાશ્રી : હા, શ્રત તો એ પોતે જ જ્ઞાન છે. પણ શ્રુતજ્ઞાન અને વિજ્ઞાન, બેનો ભેદ હોય છે. એ બેનો ભેદ જાણવો જોઈએ. અનુપમ-અપૂર્વ વાણી પરમ કૃત' પ્રશ્નકર્તા: શ્રુત મતિમાં જાય અને મતિથી પછી જે પ્રકાશ પામે, એના બદલે અપૂર્વ જ્ઞાનમાં સીધો જ પ્રકાશ પડે છે, તે વસ્તુનું દર્શન સીધું થાય છે, એ કયું જ્ઞાન ? દાદાશ્રી : અપૂર્વ જ્ઞાન તો, જ્ઞાની પુરુષ જે બોલે તેનો જ સીધો પ્રકાશ પડે. કોઈ જગ્યાએ સાંભળેલું ના હોય, વાંચેલું ના હોય, જોયેલું ના હોય, એવું જ્ઞાન હોય, એનું નામ અપૂર્વ કહેવાય.