SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ 334 “નીચગેત્ર” કર્મની પ્રકૃતિ ખરાબ-પાપની પ્રકૃતિ છે. બન્નેના વિપાકો એકબીજાથી વિપરીત છે. ગોત્રકમ બે જ પ્રકારનું છે એટલે સંસારમાં જીવેનું વગીકરણ ગત્રકર્મની દષ્ટિએ ઉચ્ચ-નીચ એવા બે પ્રકારે જ થાય છે. જીવે જેવું ગેત્રિકર્મ બાંધ્યું હોય તે પ્રમાણે Rasult મળે છે. “ઉચ્ચગેત્રકમ સારું બાંધ્યું હોય તે જાતિ-કુળ વગેરે સારાં મળે છે. અન્યથા “નીચત્રકર્મ કારણે વિપરીત મળે છે. જેવું વાવીએ તેવું લણીએ.” “જેવું બાંધીએ તેવું જ ભેગવીએ.” વાવે તેવું પામે, અને બાંધે તેવું ભેગ.” ચાતુર્વણું વ્યવસ્થા–હિન્દુધર્મમાં ચાતુર્વર્ણ વ્યવસ્થા છે. વેદોક્ત છે, અને “મનુસ્મૃતિ માં મનુએ સ્પષ્ટ કરી છે. એમણે ચાર પ્રકારે વર્ણ વ્યવસ્થા કરીને બધાને સ્થાપ્યા છે. (1) બ્રાહ્મણ, (2) ક્ષત્રિય, (3) વૈશ્ય અને (4) શૂદ્ર. આ ચારેયમાં અનુક્રમે એક-એક સારા છે અને એનાથી બીજા ઊતરતા ખરાબ છે. બ્રાહ્મણને સર્વશ્રેષ્ઠ સારા ઉચ્ચ માન્યા, પરંતુ શુદ્રને હલકા માન્યા. માટે બ્રાહ્મણને સર્વના ગુરુ કહ્યા. સર્વોપરિ સત્તા બ્રાહ્મણને ઍપી. ક્ષત્રિય બ્રાહ્મણથી પણ ઊતરતા અને તેથી (ક્ષત્રિયથી) પણ વૈશ્ય ઉતરતા અને શુદ્ર તે સાવ જ હલકા-સથી નિમ્નશ્રેણિના.... એટલે અસ્પૃશ્ય માન્યા. વર્ણ પ્રમાણે દરેકના કાર્યની વ્યવસ્થા પણુ મનુએ કહી છે–બ્રાહ્મણ માટે વેદનું અધ્યયન-અધ્યાપન શ્રેષ્ઠ કાર્ય અને દેશ રક્ષા, રાજકાર્ય વગેરે ક્ષત્રિય માટે યોગ્ય અને વ્યાપારની લેવડ-દેવડનું કાર્ય વણિક માટે યેગ્ય ગણવામાં આવ્યું. અને રહું-કયું સર્વ સાફ-સફાઈ, ઘાંચી, મેચી, તેલી, વગેરેની સર્વ કલાનાં કાર્યો માટે શૂદ્રને નિયુક્ત કર્યા. અને તેથી તેને અસ્પૃશ્ય ગણ્યા. સર્વત્ર ઉચ્ચ-નીચના ભેદ છે? દેવ, મનુષ્ય, નરક અને તિર્યંચ એમ ગતિ ચાર છે. અને
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy