SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ 15. મેઘકુમાર–હાથીને દયાધર્મ એટલે જ અહીં પુણ્યનંદન આચાર્ય મહારાજ ધર્મ. પ્રવૃત્તિ ખૂબ કરવા ઉપર ભાર મૂકે છે. પૂછો - પ્રવર્તે શું અંતરની વૃત્તિ પર લક્ષ નહિ ખેંચવાનું? ઉ –અલબત્ જે જીવો ધર્મ પ્રવૃત્તિ ખૂબ કરે છે એમણે અંતરની વૃત્તિઓનું સંશોધન કરવા પર ખાસ લક્ષ ખેંચવાનું. એટલે એવા છેવની આગળ અંતરની વૃત્તિઓ નિર્મળ કરવા, પર ભાર મૂકે જ જોઈએ. પરંતુ જેમનામાં હજી ધર્મ. પ્રવૃત્તિઓનું જ ઠેકાણું નથી, જે પાપપ્રવૃત્તિઓમાં રાચ્યામાવ્યા. રહે છે, એવાની આગળ વૃત્તિનાં સાધન અને ભાવની નિર્મળતા પર ભાર મુકાય અને “ધર્મ પ્રવૃત્તિ ખૂબ મહત્ત્વની. છે, જીવનમાં ધર્મ પ્રવૃત્તિ ખૂબ આચરાવી જોઈએ, એનાથી. જ ભાવ ચક્ખા થશે” એ ભાર ન મૂકાય, તો આ બિચારા. પાપમાં રચ્યાપચ્યા રહેનારા પાપરસિક જે ધર્મરસિક . બને? એ ખૂબ ખૂબ ધર્મ પ્રવૃત્તિ કરતા શું થાય? ને જે એ. નહિ, તે અંતરના ભાવ શી રીતે નિર્મળ કરી શકવાના? | મેઘકમારને જીવ હાથી જંગલનું ગમાર જનાવર હતું. અલબત્ એને જાતિ મરણ જ્ઞાન થયેલું, પણ એમાં તે એટલું જ ભાન થયું હતું કે “દાવાનળ લાગે તો ટમેટા, ઝાડ સળગી ઊઠે! એની વચમાં બળી મરાય. તેથી દાવાનળના. અવસર પહેલાં જે કઈ જમીનને ભાગ ઝાડપાન વિનાને
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy