SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ 215 આત્મદષ્ટિ વિના ધર્મ પ્રવૃત્તિ થાય એનાથી? ગભરાવાનું શુદ્ધ ભાવ વિના ધર્મ કરાય એનાથી? કેવી આ મૂઢગણતરી! શું આ જિનશાસનને હિસાબ છે? ધુમધામ ચાલી રહેલી પાપ-પ્રવૃત્તિઓના આ યુગમાં જીને કઈ ભડક આપવા જેવી છે? જાઓ, આત્મા પર મન જતું નથી, ને ધર્મપ્રવૃત્તિ કરે છે તેથી માર્યા જશે” આ ભડક? કે જુએ ધૂમધામ ધર્મપ્રવૃત્તિઓ કરતા નથી ને બનાવટી આત્મદષ્ટિ રાખી ધૂમધામ પાપ પ્રવૃત્તિઓ કયે જાઓ છો તે માર્યા જશો.’– આ ભડક? કઈ ભડક આપવા જેવી? ક્ષાયિક સમતિના ધણી કૃષ્ણ અને શ્રેણિક જેવાને પ્રભુ! અમારી ભાવી નરકગતિ?'ના જવાબમાં પ્રભુએ જવાબ આપે એ ખબર છે? પ્રભુએ એમ કહ્યું કે “તમને આત્મદષ્ટિ નહિ, તમે ધર્મપ્રવૃત્તિ કરવા છતાં તમારા ભાવ મેલા હતા, માટે તમે નરકનું આયુષ્ય બાંધ્યું” એવું પ્રભુએ ન કહ્યું, પરંતુ એ કહ્યું કે “તમે અવિરતિની પાપ–પ્રવૃત્તિઓમાં ખૂબ રાચ્ચા માચ્યા રહ્યા તેથી નરકનું આયુષ્ય ઉપામ્યું.' એવા મોટા ક્ષાયિક સમકિતના ધણીએ પિતે પણ પસ્તાવે. આ જ કર્યો કે “હાય! આ ડે જૈન ધર્મ મળવા છતાં અમે સર્વ પાપત્યાગ કરી સર્વ વિરતિરૂપ ચારિત્ર લીધું નહિ, ને અવિરતિને કીચડમાં પડ્યા રહી ધૂમ વિષયકષાયની પાપ–પ્રવૃત્તિઓમાં રાચ્ચા માગ્યા રહ્યા? કેવી અમારી મૂઢતા!”
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy