SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ 203 થયેલી રખડપટ્ટીની સ્થિતિ જોઈને જ્વલંત વૈરાગ્ય થઈ ગયે હતા. તે જ એમણે જે શ્રાવક ધર્મ સેવવા માંડયે પછી. કસોટીના અવસર આવ્યા છતાં એ ધર્મમાંથી ડગ્યા નહિ ! કંટકેશ્વરીદેવી કહે “મૂકી દેતા દયા ધર્મનું પૂંછડું; બેકડાને ભેગ આપી દે, નહિતર તને મારી નાખીશ.” ત્યારે દેવીને એમણે ઘસીને ના પાડી દીધી, “ભેગ નહિ મળે.” તે દેવીએ કુમારપાળના કપાળમાં ત્રિશુળ માર્યું ! રાજાને ભયંકર પીડા ઉપજી! શરીર કઢ–રોગના ધોળા ધબ્બાથી વ્યાપ્ત થઈ ગયું ! છતાં એ દેવીને નમી ન પડયા, પણ સવાર પડતા પહેલાં ચિતામાં સગળી જવાની તૈયારી રાખી, જેથી લેક સવારે પિતાને કેઢ રેગવાળે જોઈ જેના ધર્મની હાંસી કરે એવું ન બને. શી રીતે આટલી બધી દયા–ધર્મમાં સ્થિરતા? કહે, વૈરાગ્ય જ્વલંત હતો, રાજ્યપાટ-ખજાના–લહાવ-લશ્કર.. થાવત્ પોતાની કાયાને પણ ધર્મની સામે તૃણવત્ લેખતા હતા; તેથી દયાધર્મ સાચવવા ખાતર એ બધું જતું કરવા તૈયાર થઈ ગયેલા. આ મક્કમ ધર્મ શાના પ્રતાપે ? કહો, વૈરાગ્યના પ્રતાપે. નદીષણને વૈરાગ્ય : નંદીષેણ શ્રેણિક રાજાના પુત્ર, તે ભગવાન મહાવીર પરમાત્માને ઉપદેશ સાંભળી પ્રખર વૈરાગ્યવાળા બની ગયેલા, અને દેવીએ “ના” કહેવા છતાં એમણે ચારિત્ર લીધેલું, ને. પછી મેહના ઉદયની સામે વિરાગ્યના પ્રભાવે પ્રચંડ ત્યાગ.
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy