SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ –આચાર્ય મહારાજને શું કહેવું છે? આ જ, કે ધર્મ તરફ સુસ્ત હે લોકે! તમે ધર્મ કરે, ધર્મ સાધના કરે, ધર્મના આચારપાળે, ધર્મની ક્યિા–ધર્મની પ્રવૃત્તિઓ કરે; સંસારની પાપ–પ્રવૃત્તિમાંથી બહાર નીકળી ધમ–પ્રવૃત્તિમાં આવે, રેજિંદા જીવનમાં યા પર્વદિવસે ય મેહ-માયાની પ્રવૃત્તિ ઓછી કરી ધર્મ પ્રવૃત્તિને જીવનમાં સ્થાન આપે, કારણ એ છે કે ધર્મ બહુ મહિમાવંતે છે. ધર્મને એટલે બધે મહિમા છે કે કદાચ ધર્મની સહજ રુચિથી ધર્મ નહિ, પરંતુ લજજાથી ય ધર્મ કરે, યા વડિલના ભયથી ધર્મ કરે, અથવા ચડસાચડસીથી કે કેઈની પ્રત્યેના સ્નેહથી ધર્મ કરે, તે પણ એને અમાપ ફળ મળે છે, આમ કહીને આચાર્ય મહારાજ એ સૂચવી રહ્યા છે કે કદાચ તમને હમણાં ને હમણાં ધર્મને રસ ન જાગતે હોય, પરંતુ તમારા ધમી કુટુંબ કે સમાજની વચ્ચે રહી ધર્મ ન કરે એની શરમ લાગતી હોય, તે ય એવી શરમથી પણ તમે ધર્મ કરી શક્તા હે, તે જરૂર એમ પણ ધર્મ કરે; તમને એ ધર્મનું અમાપ ફળ મળશે. - આચાર્ય મહારાજ કેમ આમ કહી રહ્યા છે? કારણ, જગતના પામર જી બિચારા પાપાચારે અને મેહમાયાના આચામાં સર્વેસર્વા ફૂખ્યા રહે છે, એટલે એ સરિયામ મલિન ભાવે, પાપ-કર્મો, અને પાપ-સંસ્કારો ઊભા કરી કરી પછીથી એના ફળરૂપે દુર્ગતિના ભવની પરંપરામાં રખડી મરે છે! ચેરાશી લાખ યેનિના ચકાવે ચડી જાય છે!
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy