SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ 144 અલબત મોક્ષ તે શુદ્ધ આશયવાળી ધર્મક્રિયાથી ધર્મ-સાધનાથી જ થાય; પરંતુ કહેવું એ છે કે એવા શુદ્ધ આશયની ધર્મ-સાધનાએ પહોંચવા માટે પણ ધર્મપ્રવૃત્તિ જ કામ લાગે, પાપપ્રવૃત્તિ નહિ, તે કહે, એ માટે શું કરવું? અશુદ્ધ આશયથી પણ થતી ધર્મ–સાધના ચલાવી લેવી? કે (1) આશય શુદ્ધ ન થાય ત્યાં સુધી ધર્મ–સાધના બંધ કરાવવી ? યા (2) કરતા હોઈએ તે ધર્મ–સાધના મૂકી દેવી? ધર્મ કરે છેડી દે?(૩)લકોને પણ આવા અભિમાન–ઈર્ષ્યા– નેહ-લભ વગેરેથી ધર્મ કરતા હોય તે એમને મેલા ભાવની ક્રિયાથી ભવ-ભ્રમણાની બીક બતાવી ધર્મ છોડાવી દે? એમ (4) જે લેકે ધર્મ કરતા જ ન હોય, એમને શું એ ઉપદેશ આપે કે “જે જે મેલા આશયથી ધર્મ કરશે તે દુર્ગતિમાં પડશે? ભવના ફેરા વધી જશે? મલિન આશયથી તે અનંતીવાર ધર્મકિયાએ કરી, છતાં આ સંસારમાં રખડતા રહ્યા, માટે મહત્ત્વ પવિત્ર આશયનું છે. દા. ત. કઈ ભલે હાફુસના ચીરિયા ખાતે રહે, પરંતુ જે એના હૈયે ઉદાસીન ભાવને આશય હેય તે એ તરી જાય. એથી ઉલટું ભલે ઉપવાસ કર્યો હોય, પરંતુ પારણે “આ ખાઈશ તે ખાઈશ”ના વિચાર કરતા હોય, અથવા ઉપવાસ તે કીર્તિના મેહથી કે બીજાની સરસાઈ કરવા કર્યો હોય તે એથી ડૂબી જાય. માટે મહત્ત્વ આશયશુદ્ધિનું છે, ભાવ ચેખા કરવાનું છે. મેલા ભાવની ધર્મક્રિયાનું ફૂટી કેડીનું મૂલ્ય નથી, એથી તે ભવ ભારે થાય.” –આમ શું ધર્મના આચાર–અનુષ્ઠાન નહિ આચરનારની આગળ ક્રિયા–આચારને ફૂટી કેડીની કિંમતના બતાવી
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy