SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૨ અધ્યાત્રિ વિભાગ મુક્તિના આજે ઉપદેશ-શ્રવણનો રસ ઉડી જાય છે. તે વાજબી નથી. સદુપદેશમાં અનેક ગ્રન્થનું દહન મળે છે જ્યારે વાંચી જવામાં એક જ ગ્રંથનું જ્ઞાન મળે છે. ૮ કેટલો વખત મૌન રહ્યા? નિરર્થક વાતો કરવાથી અને ગપ્પાં મારવાથી શક્તિને દુર્થ થાય છે. મૌન રહેવાથી વિચારનું બળ વધે છે. તેમજ બોલ-બેલ કરવાની કુટેવ ઉપર કાબુ આવે છે. બહુ બોલનારથી અસત્ય કે સાથે પણ બોલાઈ જવાય છે. મોન એ સત્યવ્રતના પાલનમાં અને કષાયના નિગ્રહમાં ઘણું જ મદદ કરે છે. રોજ ઓછામાં ઓછું એક કલાક મૌન રહેવું જ જોઈએ. મૌન કરતી વખતે ઉચ્ચ વિચારે, જાપ, ધ્યાન કે સ્વાધ્યાય કરો. ૯ કેટલો વખત માંડલીના કાર્યમાં ગાળ્યો? માંડલીનું કામ એ પ્રત્યેકની ફરજ છે, તે કામ વેઠની -જેમ નહિ કરવું, પણ આત્મ-નિસ્તારનું કારણ સમજી કરવું જોઈએ. ૧૦ પચ્ચકખાણ શું કર્યું? તપ એ નિજરનું પરમ અંગ છે. સ-ક્ત સાધુએ ઓછામાં ઓછું એકાસણું કરવું જોઈએ. એકાસણું કરવાથી સ્વાધ્યાયને ટાઈમ બહુ મળે છે. આત્માને સ્વભાવ અણહારી છે, એ વાતનું સ્મરણ એકાસણુ સિવાય સાનુબંધ ન ટકે
SR No.023519
Book TitleShraman Dharm Jyot
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherJain Shree Sangh
Publication Year1982
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy