________________
ચૈત્યવદન કરવાની વિધિ
[ ૧૪૧. એ ઉભય પ્રકારનું વિષ જેમ પ્રાણુને નાશ કરે છે તેમ લબ્ધિ. કીર્તિ આદિકના કુલની અપેક્ષાથી કરવામાં આવતું અનુષ્ઠાન વિષાનુષ્ઠાન કહેવાય છે. ધર્મ કરતી વખતે અપેક્ષા-આલોકના ફલની ઈચ્છા રાખવી તે અતઃકરણના પરિશુદ્ધ પરિણામને તત્કાલ નાશ કરે છે તથા કલ્પતરૂ અને ચિન્તામણિ આદિની. ઉપમાઓથી પણ અધિક એવા ધર્મવડે તુચ્છ એવી કીર્તિ આદિના લાભની આકાંક્ષા ધર્મની લઘુતા કરાવનાર થાય છે, તેથી પણ તે અનુષ્ઠાન વિષ સ્વરૂપ છે.
ગરાનુષ્ઠાન–કુદ્રવ્યના સંગથી ઉત્પન્ન થનારૂં વિષ– વિશેષ-કાચાદિ દ્રવ્યને ગર કહેવાય છે. અહિક ભેગથી નિ:
પૃહ કિન્તુ સ્વર્ગ સુખની પૃહાવાળા અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે. જેમ વિષ તત્કાલ પ્રાણને નાશ કરે છે અને ગર કાલાન્તરે નાશ કરે છે તેમ ગરાનુષ્ઠાન પણ પુણ્યક્ષય થયા બાદ ભવાન્તરમાં મહા અનર્થન કરનારું થાય છે. ' અનનુષ્ઠાન-ઉપગશૂન્ય અનુષ્ઠાન–સન્નિપાતથી ઉપહત થયેલ મૂછિત આત્માને જેમ કેઈ પણ પ્રકારનું ભાન હોતું નથી તેમ અતિશય મુગ્ધ એવા આત્માને કોઈ પણ પ્રકારની સમજણ વિના થતું અનુષ્ઠાન, તે અનનુષ્ઠાન કહેવાય છે, સારાંશકે એ અનુષ્ઠાન અનુષ્ઠાન જ નથી.
તહેત્વનુષ્ઠાન–જેમાં રસદનુષ્ઠાન-તાત્વિક અનુષ્ઠાન પ્રત્યે બહુમાન છે, મુત્યષ અથવા મુક્તિ પ્રત્યે કિંચિત અનુરાગ થવાથી શુભભાવ પણ રહે છે, તથા જે પરિણામે તાત્વિક અનુષ્ઠાનરૂપે પરિણમવાનું છે, તે તદ્ધતુ અનુષ્ઠાન કહેવાય છે. :