SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પા તે બધાય ઉત્તમ તત્ત્વ જે ઉપકાર કરી શકે તેના કરતાં અન તગણા ઉપકાર એકલા શ્રી અરિહંત પરમાત્મા ભાવથી આપણા ઉપર કરે છે. સત્ત્વાદિ ખધાય ગુણેાનુ જે ઉત્કૃષ્ટ પરિણામ આવે તે બધુ' માત્ર એમના એકલાના પ્રભાવથી આપણને મળે છે. અથવા ઉત્કૃષ્ટ પ્રકારનુ` સત્ત્વ, તત્ત્વ, ગતિ અને મતિ વગેરે જે પ્રાપ્ત થાય છે, તેમાં મુખ્ય ફાળા અહિં ત પરમાત્માના છે. અને તેથી જ જે સત્ત્વની ફારવણી શ્રી અરિહ'ત પરમાત્માની ભક્તિમાં, શ્રી અરિહંત પરમાત્માના શાસનની ઉન્નતિમાં થાય તેજ સત્ત્રાદિ સામગ્રી - વખાણવા લાયક છે. તે સિવાય સત્યના ઉપયાગ કરવા તે સત્ત્વને નિષ્કૃષ્ટ બનાવવા જેવું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી મન, વચન, કાયાની જે જે પ્રશસ્ત પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિ જો શ્રી અહિ‘ત પરમાત્માની નિકટ લઈ જાય તે તે ઉત્કૃષ્ટ સત્ત્વ છે. સત્ત્વાદિ ગુણાને ઉત્કૃષ્ટ બનાવવાના જો કાઇ કીમીએ હાય તા તે અરિહંત પરમાત્માનું સાન્નિધ્ય છે. તેથી જ મહાપુરુષા કહે છે કે-તે કાયાને ધન્ય છે કે જે કાયાનું સત્ત્વ અરિહંતની ભક્તિમાં વપરાય છે. તેવી જ રીતે તે હૃદયને ધન્ય છે કે જે હૃદયથી અરિહ ત પરમાત્માનું સ્મરણ થાય છે, તે જિહ વાને ધન્ય છે કે જેનું સત્ત્વ પરમાત્માની સ્તુતિમાં વપરાય છે અને તેવી જ રીતે તે દિવસ, તે રાત અને તે ક્ષણ ધન્ય છે કે જે સમયે આપણુ' સત્ત્વ અરિહંત પરમાત્માની ભક્તિમાં ખર્ચાય છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy