SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરિહંત વંદનાવલી ( છંદ-હરિગીત) જે ચૌદ મહાસ્વપ્નો થકી નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંહી જ્ઞાનત્રયને ગોપવી અવધાતા; તે જન્મતાં પહેલાં જ ચોસઠ ઈંદ્ર જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧ મહા વેગના અભ્યાસમાં, જે ગર્ભમાં ઉકલાયતા, ને જન્મતાં ત્રણ લેકમાં મહા સૂર્ય સમ પ્રકાશતા; ને જન્મકલ્યાણક વડે સૌ જીવને સુખ અર્પતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨ છપ્પન દિકુમારી તણું સેવા સુભાવે પામતા, દેવેન્દ્ર કરસંપુટ મહીં મારી જગત હરખાવતા; મેરૂ શિખર સિંહાસને જે નાથ જગના શોભતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩ કુસુમાંજલિથી સુર અસુર જે ભવ્ય જિનને પૂજતા, શી રાદધિના વિન્ડવણજળથી દેવ જેને સિંચતા વળી દેવદુંદુભિ નાદ ગજવી દેવતાઓ રીઝતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪ મઘમઘ થતા શિર્ષચંદનથી વિલેપન પામતા, દેવેન્દ્ર દેવી પુષ્પની માળા ગળે આરોપતા;
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy