SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ પામી ગયા નથી–એ વાત પણ નક્કી થાય છે. અદશ્ય મૂળ જેમ ફળથી અને અદશ્ય સૂર્ય જેમ દિન-રાત્રિના વિભાગથી જાણી શકાય છે, તેમ જીવાત્મામાં રહેલો અદેય ધર્મ પણ તેના કાર્યથી જાણી શકાય છે. ભૂતકાલીન ધમર તેના ફલસ્વરૂપ વર્તમાનકાલીન સંપત્તિથી જાણી શકાય છે અને વર્તમાનકાલીન ધર્મ તેના કાર્ય સ્વરૂપ ઔદાર્યાદિ ગુણોથી જાણી શકાય છે. અમુક વ્યક્તિના ભીતરમાં ધર્મ છે કે નહિ? અને છે તે તે કેવી રીતે જાણી શકાય?-એ પ્રશ્નને જાણે સ્પષ્ટ ઉત્તર ન આપતાં હોય, તેમ પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ એક સ્થળે ફરમાવે છે કે " औदार्य दाक्षिण्यं, पापजुगुप्साऽथ निर्मलो बोधः । firન ધર્મસિદ્ધિ પ્રાળ જનવિચરવું જ છે ?” અર્થ:-ઔદાર્ય, દાક્ષિણ્ય, પાપજુગુપ્સા, નિર્મલબોધ તથા જનપ્રિય-એ ધર્મસિદ્ધિનાં પ્રધાન લિંગે છે. જે આત્મામાં ઉદારતાદિ પાંચ લક્ષણે પ્રગટયાં છે, તે આત્માની ભીતરમાં ધર્મ રહેલો છે, કારણ કે-ધર્મસિદ્ધિના એ નિશ્ચિત લિંગે છેઃ ઉદારતાદિ ચિહ્નો એ આત્માની અંદર છૂપા રહેલા ધર્મને જ પ્રગટ કરનારા છે. બીજા શબ્દોમાં ઔદાર્યાદિ ગુણે એ ધર્મવૃક્ષના મૂળમાંથી ઉગીને બહાર નીકળી આવેલા અંકુરાદિ અને શાખાપ્રશાખાદિ પદાર્થો છે, શાખા-પ્રશાખા અને અંકુર–પત્રાદિને
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy