SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ શરીરનાં સંબંધીઓ અને શરીરનાં સુખ-દુખનાં બાહ્ય હેતુઓનાં મૂળમાં શુભ-અશુભ કર્મ છે. તેને જ શાસ્ત્રકારે ધર્મ અને અધર્મનાં નામથી સંબોધે છે. આ રીતે સારાય જગતમાં, સચરાચર જીવસૃષ્ટિમાં, વિશ્વનાં પ્રાણીમાત્રની વિવિધ અવસ્થાઓમાં આદ્ય અને પ્રથમ શુભ પ્રેરક હેતુ જે કઈ હોય, તે તે ધર્મ જ છે; અને તે ધર્મના પ્રભાવે જ સઘળી ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ છે. શાસ્ત્રકારોની દષ્ટિએ ઉત્તમ પ્રકારનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ, તે બધાંની ઉત્પત્તિ, પ્રાપ્તિ અને વૃદ્ધિ આદિને મૂળ આધાર પુણ્યકર્મરૂપી ધર્મ જ છે. વિજ્ઞાનની છે અને તેથી પ્રાપ્ત થતાં શબ્દ-રૂપદિ પુદગલોનાં પણ ભૌતિક સુખની સિદ્ધિને આદિમ આધાર પણ ધર્મ જ છે. પરંતુ તે ધર્મ સ્થૂલ દષ્ટિએ અગોચર છે. ધર્મને સાક્ષાત્ જેવા અને જાણવા માટે જ્ઞાનચક્ષુ વિરલ વ્યક્તિઓને જ પ્રાપ્ત થાય છે. ધર્મ એ સુખનાં કારણનું કારણ છે, કારણને સૂમ દષ્ટિ જોઈ શકે છે. કારણનાં કારઅને જેવા માટે સૂક્ષમતર અને સૂક્ષમતમ ચક્ષુની જરૂર પડે છે. તે બધાને સુલભ નથી. તે ચક્ષુની પ્રાપ્તિ માટે તત્વની ખરી જિજ્ઞાસા હોવી જોઈએ તત્ત્વજિજ્ઞાસુ શાસ્ત્રાભ્યાસ વડે તે ચક્ષુને પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્ર એ સર્વજ્ઞ વચનરૂપ છે. ધમને પ્રત્યક્ષ કરવામાં સહાયક બીજું ચક્ષુ એ કેવળજ્ઞાનરૂપી ચક્ષુ છે. કેવળજ્ઞાનરૂપી ચક્ષુ અને શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ વડે કારણના કારણને જાણી શકાય છે, દેખી શકાય છે. શાસ્ત્રચક્ષુ કહે છે કે-વિજ્ઞાન અને તેની શોધેથી મળતાં
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy