SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ५५० જીવમાં એવા જડ ઘાલીને બેઠા હોય છે કે, તે જ્યારે જ્ઞાનને મહિમા સાંભળે છે, ત્યારે ક્રિયામાં આળસુ બની જાય છે અને જ્યારે કિયાને મહિમા સાંભળે છે ત્યારે જ્ઞાન પ્રત્યે ઉપેક્ષાભાવવાળો બની જાય છે. જીવનની આવી અશુદ્ધ દશામાં જ્યારે તેને જેવા ઉપદેશને સાગ મળે છે, ત્યારે તે તેવા દુષવાળ બની જાય છે. એવી દશામાં તેની શુદ્ધિ થવી તે દૂર રહી જાય છે, કિન્તુ અનાદિકાળથી લાગેલા એક યા બીજા દોષની અધિક ને અધિક પુષ્ટિ થવાથી વધારે ને વધારે અશુદ્ધ થતું જાય છે. જ્યારે તેને શુદ્ધ ઉપદેશક ગુરુ મળે અને બેમાંથી એક પણ દોષ પુષ્ટ ન થઈ જાય તેવી સાવધાનીપૂર્વક ઉપદેશ આપે, ત્યારે તે જે સચેતન હોય તે જ્ઞાન અને ક્રિયા ઉભયની સાધના કરનારે થાય અને અશુદ્ધિને નાશ કરી શુદ્ધ દશાને પામી શકે. જ્ઞાન અને કિયા એ બેના સુમેળથી જ મુક્તિ થાય છે એ વાત સમજવા માટે નીચેના સિદ્ધાંતસારગતિ વાકયે પણ આમાથીં જવને ખૂબ ઉપયોગી હોવાથી અહીં રજુ કરીએ છીએ. જેઓ મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે, તે સર્વ મુમુક્ષુઓ પ્રથમ શુદ્ધ વ્યવહારનું આલંબન લઈને પછી નિશ્ચયના આશ્રય વડે પામ્યા છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ હેતી નથી. વ્યવહાર રત્નત્રયીથી નિશ્ચય રત્નત્રયી પ્રગટ થાય છે. આ રત્નત્રયી (જ્ઞાન-દર્શન-ચારિત્ર) વિના કોઈને કોઈપણ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy