SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ પાર શાસ્ત્રોક્ત ક્રિયાઓનું આસેવન એજ તરવથી ધ્યાન છે. મોક્ષને પ્રધાન હેતુ સંવર ( આવતા કર્મનું રોકાણ) અને નિજેરા (પૂર્વનાં કર્મોને ક્ષય) છે. સંવર અને નિજેશને હેતુ ધ્યાન છે અને એ ધ્યાનની સાધક પ્રશસ્ત ક્રિયાઓ અને ધ્યેય-ધ્યાન કરવા લાયક અને સાક્ષાત્ એથી ઉપજતું સુપ્રશસ્ત ધ્યાન એજ મોક્ષનું કારણ– સાધન છે. અને મેક્ષ ન મળે ત્યાં સુધી એ સાધનનું સેવન છોડવા લાયક નથી. - એ રીતે જીવરૂપી વસ્ત્ર ઉપર ચઢેલ કર્મરૂપી મેલને દેવાનું સાધન દયાનરૂપી જલ છે. જીવરૂપી સેનામાં રહેલ કર્મરૂપી કલંકને બાળવાનું સાધન દયાનરૂપી અનલ છે, તથા જીવરૂપી કાદવવાળી ભૂમિમાં રહેલ કર્મરૂપી કીચડને સુકવવાનું સાધન દયાનરૂપી સૂર્ય છે, તથા ચિરસંચિત કર્મોધનને દગ્ધ કરનાર અગ્નિ અને શુભાશુભ કમરૂપી વાદળાની ઘટાઓને વિખેરી નાંખનાર પવન પણ તે દયાન જ છે. શીતોષ્ણાદિ શારીરિક દુઓ અને ઇર્ષ્યા-વિષાદાદિ માનસિક પીડાઓનું નિવારણ કરવા માટેનું ઔષધ તથા કમ રોગને હઠાવવા માટેનું વિરેચન પણ તેજ છે. વળી પુણ્યાનુબંધી પુણ્યના ફલસ્વરૂપ દેવગતિ સંબંધી વિપુલ સુખો, સુકુલમાં જન્મ, બધિલાભ, ધર્મસામગ્રી, પ્રત્રજ્યા, ઉત્તમ ગુરુ, ઉત્તમ ગચ્છ, શુદ્ધ સંયમ, કેવલજ્ઞાન, શિલેશીકરણ અને અને અપવર્ગ વગેરે ઉત્તરોત્તર શુભાનુબન્ધી સુખની પ્રાપ્તિ થાનના પ્રભાવે થાય છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy