SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૪ દુખી ન થાઓ, આખું જગત કર્મબંધનથી મુક્ત થાઓ. આ ભાવનાને મૈત્રી ભાવના કહેવાય છે. જેમના અજ્ઞાન, રાગ, દ્વેષ આદિ તમામ દેશે દૂર થઈ ગયા છે, અને જે વસ્તુ સ્વરૂપનું વાસ્તવિક અવલોકન કરનારા છે, તેવા મહાત્માઓના ગુણને વિષે પ્રેમ પ્રગટ કરે તે પ્રમાદ ભાવના કહેવાય છે. | દીન, પીડિત, ભયભીત અને જીવિતને યાચતા પ્રાણીએના દુખેને દૂર કરવાની બુદ્ધિ તે કારણે ભાવના કહેવાય છે. નિઃશંકપણે દૂર કર્મો કરનારા, દેવ-ગુરુની નિંદા કરનારા તથા પિતાની પ્રશંસા કરનારા છ પ્રત્યે ઉપેક્ષા બુદ્ધિ તે માધ્યશ્ચ ભાવના કહેવાય છે. અર્થાત જે જીવો કોઈપણ ઉપાય સુધરી શકે તેવા ન હોય અને તેમને ઉપદેશાદિથી સુધારવા જતાં ઊલટા વધારે દોષવાળા બનતા હેય, તેવા જીવો પ્રત્યે રાગ-દ્વેષ ન રાખતાં ઉપેક્ષા ભાવ રાખવો તે માધ્યરશ્ય ભાવના છે. ધ્યાનની ધારાને અખંડિત રાખવા માટે આ ચાર ભાવનાઓના અભ્યાસની અત્યંત આવશ્યકતા છે. તૂટતા એવા ધ્યાનને સાંધી આપવા માટે તે રસાયણનું કામ કરે છે, ધ્યાનમાર્ગમાં પ્રગતિ ઈચ્છનારે પોતાના જીવન વ્યવહારમાં ન્યાય, નીતિ, વ્રત, નિયમ, ત્યાગ, વૈરાગ્ય, કષાયજય, ઇન્દ્રિયનિગ્રહ અને મન સંયમ આદિ કેળવવાં આવશ્યક છે,
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy