SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૯ પ્રશસ્ત વિષયનાં ધ્યાનના અભ્યાસ વધવાથી અંતઃકરણની ચાગ્યતા વધે છે. જ્ઞાન અને આન'દની વૃદ્ધિ અનુભવાય છે. ઇન્દ્રિયા તથા શરીર સાત્ત્વિક મને છે તથા ધ્યાનાભ્યાસરૂપ પુણ્યના પ્રથી બાહ્ય વ્યવહાર પણ અનુકૂળતાવાળા બની જાય છે. કંટાળ્યા વિના નિયમપૂર્વક અભ્યાસ કરવાથી સમય જતાં જેમ માટા માટા ગ્રન્થાનું અધ્યયન કરી શકાય છે, નિત્ય નિયમપૂર્વક ઉંચે ચઢવાથી જેમ મોટા મોટા પતા પાર કરી શકાય છે, નિત્ય ઉત્સાહપૂર્વક ચાલ્યા કરવાથી જેમ પૃથ્વીને પ્રદક્ષિણા આપી શકાય છે, તેમ દૃઢ નિશ્ચયપૂર્વક ઉદ્વેગ પામ્યા વિના નિયમિત ધ્યાનાભ્યાસ ચાલુ શખવાથી કાળે કરીને અનેક વિષયાકારે પરિણમવાના મનના સ્વભાવને પલટાવીને એક જ ધ્યેયના આકારે સ્થિર રાખી શકાય છે. મનને ચિરકાલથી અનેક વિષચેના આકારમાં પરિણમ વાની ટેવ પડેલી છે. તેને એક જ ધ્યેયાકારે સ્થિર કરવાનું કામ અતિ કઠિન છે, તા પણ દૃઢ પ્રયત્નથી જેમ અન્ય માટાં કાર્યો સુલભ થાય છે, તેમ આ કાય પણ સુકર અને છે. ધ્યાનાભ્યાસીએ ધ્યાનાભ્યાસથી લેશ પણ કટાળ્યા વિના નિત્ય નવા નવા ઉત્સાહથી ધ્યાનાભ્યાસરૂપ કાય ચાલુ રાખવું જોઇએ. ધ્યાનાભ્યાસી જો ચેાગ્ય પ્રયત્નપૂર્વક પેાતાના મનને શુદ્ધ ધ્યેયમાં જોડવા માટે પ્રયત્ન ચાલુ રાખે તા સ્થૂલ અને ચ'ચલ એવા મનને ધ્યાનના બળથી સૂક્ષ્મ અને એકાગ્ર કરવામાં અવશ્ય સફળ થઈ શકે છે,
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy