________________
४८२
ભાવનાનું પ્રાધાન્ય સચવાય છે. જે ધર્માનુષ્ઠાનના મૂળમાં દયા-કરુણાને ભાવ નથી, તે ધર્માનુષ્ઠાન વાસ્તવિક ધર્માનુષ્ઠાન ગણાતું નથી. કરુણામય જિનપ્રવચનનાં રહસ્યો હદયમાં કરુણાભાવ પ્રગટવાથી જ સમજાય છે. હીનગુણ આત્માઓ પ્રત્યેની કરુણા અધિક ગુણવાળા આત્માઓની સાથે મેળ કરાવે છે, તેઓની કરુણાના પાત્ર બનાવે છે અને તેઓની કરુણાના પ્રભાવે તે અધિક નવા નવા ગુણોને વિકસાવે છે.
૪-માથથ્ય ભાવના રાગ અને દ્વેષની વચ્ચે રહે તે મધ્યસ્થ. કઈ પણ પ્રસંગમાં રાગ કે દ્વેષ ન થાય, તે માટે પુનઃ પુનઃ ચિંતન તે માયશ્ય ભાવના છે.
(૧) પાપીવિષયક માયટ્ય-પ્રથમ માધ્યથ્ય અર્થાત્ ઉપેક્ષા ભાવના પાપી જી પ્રત્યે છે. પાપી જીવને પાપથી અટકાવવા માટે પ્રયત્ન કર્યા છતાં, જ્યારે તેઓ પાપથી ન અટકે, ત્યારે તેઓ પ્રત્યે મધ્યસ્થ રહેવું. પરંતુ ચિત્તને ક્રોધાદિ કષાયથી કલુષિત થવા ન દેવું. આ જાતની મધ્યસ્થતા રાખવાથી તે પાપી જીવ પાપમાં અતિ આગ્રહી બનતે કદાચ અટકી જાય અને તેથી ભવિષ્યમાં તેને સુધારવાની તક કાયમ રહે છે. તેવા પ્રસંગે તેને તિરસ્કાદિ કરવાથી તે શ્રેષને ધારણ કરનાર બની જાય અને તેથી વરની પરંપરા વધી જાય છે. માધ્યસ્થથી તેને આપણું પ્રત્યે સદ્ભાવ ટકી રહે છે અને તેથી ભવિષ્યમાં તેને સુધારવાની તક આપણું હાથમાં રહે છે. જેમ અપશ્યના