SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ તરફ આવે, ત્યારે દુઃખનું કારણ બને છે. પિતાના જ અને તે પણ વર્તમાનકાલીન જ દુખવિષયક દ્વેષ સંકલેશજનક બને છે, પરંતુ તે જ ઠેષ જે સર્વ દુઃખી પ્રાણીઓના દુઃખ વિષયક બને છે અથવા પિતાના સર્વકાલીન દુઃખ વિષયક બને છે, તે ચિત્તના સંકલેશને દૂર કરનાર બને છે. તાત્પર્ય એ છે કે-વર્તમાનકાળ અને કેવળ સ્વવિષયક સંકુચિત વૃત્તિ જ્યારે ત્રિકાળ અને સર્વ સત્ત્વવિષયક વિશાળ બને છે, ત્યારે ચિત્તના સંકલેશની હાનિ થાય છે અને નિર્મળતા પ્રાપ્ત થાય છે. માત્ર એટલું જ નહિ, પણ આગળ વધીને એવી કરુણામય ચિત્તવૃત્તિથી વિશ્વનું સર્વોત્તમ પદ તીર્થંકરપણું પણ પ્રાપ્ત થાય છે અને તે સર્વ જીના દુઃખનું નિર્મૂલન કરનાર મોક્ષમાર્ગ અને ધર્મતીર્થનું પ્રવર્તન કરાવનાર થાય છે. સર્વ સન્ક્રિયાઓ, સર્વ ધર્મ અનુષ્ઠાનો સર્વ આગમવા વગેરેની પાછળ સ્વ-પવિષયક કરુણ રહેલી છે. પિતે જે અનુષ્ઠાનની સાધના કરે છે, તે અનુષ્ઠાન જેમને પ્રાપ્ત થયું નથી, તેમના પ્રત્યે જે કરુણા ભાવના ન હોય, તે તે અનુષ્કાનમાં કદી પણ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, કેમ કેતેને પિતાના અનુષ્ઠાનમાં વાસ્તવિક પ્રણિધાન થયું નથી, તે અનુષ્ઠાનની તાત્વિક મહત્તા કે દુર્લભતા તેને સમજાઈ નથી, અથવા તે અનુષ્ઠાનની પાછળ તેને કોઈ દુષ્ટાશય, પાપકર્ષ કે કર્નાદિ મલિન આશય હજુ ટળે નથી કે શુભાશુભ પ્રગટ્યો નથી.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy