________________
શ્રી જિનેશ્વર ભગવંતની પૂજાનું રહસ્યદર્શક શ્રી સુવિધિનાથ જિન સ્તવન.
(ાગ-કેદારે) સુવિધિ જિનેસર પાય નમીને, શુભ કરણ એમ કીજે રે અતિ ઘણે ઉલટ અંગ ધરીને, પ્રહ ઊઠી પૂછજે રે. સુવિધિ. ૧ દ્રવ્યભાવ શુચિભાવ ધરીને, હરખે દેહરે જઇયે રે દહતિગ પણ અહિંગમ સાચવતાં, એકમના ધુરિ થઈયે રે. સુવિધિ. કુસુમ અક્ષત વરવાસ સુગંધો, ધપ દીપ મન સાખી રે, અંગપૂજા પણ ભેદ સુણ ઈમ, ગુરુમુખ આગમ ભાખી રે. સુવિધિ. ૩ એહનું ફલ દોય ભેદ સુણજે, અનંતર ને પરંપર રે, આણા પાલણ ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુરમંદિર છે. સુવિધિ. ૪