SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ४४० તેને અંદર પણિમાળ્યા નહિ, માત્ર તે વાંચનરૂપ અને શ્રવણુરૂપ થયાં. આ રીતે હુ “ ભણ્યા પણ ગણ્યા નહિ” જાણ્યું પણ આદર્યું નહિ અને તેથી મારા ઉદ્ધાર થયા નહિ. હું પ્રભેા ! હવે મને સદ્ગુરુ' શરણ, સ્રગુરુની સેવા, સદ્ગુરુની મન, વચન, કાયાથી ભક્તિ તથા સદ્ગુરુ પ્રત્યે અંતરંગ પ્રીતિ અને બહુમાન, સદ્ગુરુ પર શ્રદ્ધા, સદ્ગુરુ પર ગુરુબુદ્ધિ અને અહેાનિશ તેમના શરણાની જ ઈચ્છા અને તેમની આજ્ઞા પ્રમાણે વર્તન કરવાની દૃઢ અભિલાષા કયારે જાગ્રત થશે અને એ અભિલાષાને અમલમાં મૂકી તેને પાર પહોંચાડવા કયારે સમથ થઈશ ? હે પ્રભુ!! મારા પેાતાના ઢાષા જેવાની અને અન્યના ગુણ ગ્રહણ કરવાની બુદ્ધિ મારામાં કયારે ઉત્પન્ન થશે ? મારા આત્મદ્રવ્યની અને પરમાત્માના આત્મદ્રવ્યની અર્થાત્ નિજપદ અને જિનપદની એકતા મને કયારે પ્રાપ્ત થશે ? સત્તાથી સર્વ જીવા સરખા છે, સર્વ જીવા નિશ્ચયથી સ્વભાવે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ, શુદ્ધ દČન સ્વરૂપ, શુદ્ધ ચારિત્ર સ્વરૂપ, અનંત ઉપચાગમય, અને અનત શક્તિવંત છે, પશુ ક્રમ શત્રુના સૂ ́ગથી મલિન દેખાય છે, એમ જાણી કાઁના નાશ, કર્મના ત્યાગ, અને કમ'ની સત્તાને દૂર કરવાના સફળ પ્રયત્ન કરનારા હું કયારે બનીશ ? અને સત્તાથી સ જીવા સમાન છે, સિદ્ધના સાધર્મિક છે, એમ માની સર્વ જીવે ઉપર સમાન ભાવ મને કયારે પ્રગટ થશે ?
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy