SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ સકળ ફના ક્ષય રૂપી માક્ષ આત્મજ્ઞાનથી થાય છે અને આત્મજ્ઞાન એ ધ્યાનથી સાધ્ય છે. એટલા માટે ધ્યાન એ જ આત્માનુ પરમ હિત કરનાર છે. આત્મહિતકારક આ ધ્યાનની સામગ્રી શ્રી નવપદા પૂરી પાડે છે. શ્રી નવપદો એ આત્માનુ જ શુદ્ધ સ્વરૂપ છે. એનુ અવલ ખન લેનાર પેાતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રત્યક્ષ કરી શકે છે. આત્મજ્ઞાન જેનું ફળ છે, એવી આરાધનાને જ શ્રી જૈનશાસનમાં મેાક્ષમાગ તરીકે વર્ણવેલ છે. બધી આરાધનાનું અંતિમ લક્ષ્ય આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન છે અને ધ્યાન દ્વારા તે જ્ઞાન પ્રત્યક્ષ કરી શકાય છે. શાસ્ત્ર દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપનું પરાક્ષ જ્ઞાન મેળવનાર તે જ્ઞાનને ધ્યાન દ્વારા પ્રત્યક્ષ કરી શકે છે. આથી ખાર પ્રકારના તપમાં ધ્યાનરૂપી અભ્ય તર તપને ઉત્કૃષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. તપના બીજા બધા પ્રકારો ધ્યાનરૂપી અભ્ય ́તર તપની પુષ્ટિ માટે છે. ધ્યાનરૂપી અભ્ય તર તપની પુષ્ટિ માટે જો તે ન થાય, તા તેની કિ’મત માક્ષમાગ માં કાંઈ નથી, કેમ કે-આત્મધ્યાન જ આત્મજ્ઞાન યાને આત્મસાક્ષાત્કારનું કારણ અને છે. એ જ વાતને ઉપાધ્યાય શ્રી યÀાવિજયજી મહારાજ શ્રી શ્રીપાળરાસની ચેાથા ખંડની સાતમી ઢાળમાં નીચે મુજખ વણ્ વે છે. અરિહંત સિધ્દ તથા ભલા, આચારજ ઉવજ્ઝાય; મુનિ દ’સણુ નાણુ ચરિત્ત તવ,એનવપદ મુક્તિ ઉપાય. ૧ એ નવપદ યાતા થકા, પ્રગટે નિજ આતમ રૂપ આતમદરિસણુ જેણે કર્યું, તેણે સુંઘો ભવભય ગ્રૂપ ૨
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy