________________
૨૩
અને સર્વત્ર સમતાભાવને ધારણ કરનારો હોય છે. આ આરાધક ઉત્તમોત્તમ આરાધક ગણાય. આ ગુણ આરાધક અચિંત્ય મહિમાશાસ્ત્રી શ્રી સિદ્ધચકેની સંપૂર્ણ સાધના કરી શકે અને સાક્ષાત અનુભવી પણ શકે. શ્રી શ્રીપાલના કથાનકમાં ઉપર કહ્યા તે ગુણેના બીજકે છૂપાયેલા છે. એના પ્રભાવે શ્રી શ્રીપાળ મહારાજા સર્વત્ર જય, વિજય અને સુયશની પરંપરાને પ્રાપ્ત કરી શકયા હતા અને તેઓની આરાધના ગીશ્વરોના ચિત્તને પણ ચમત્કાર ઉત્પન્ન કરાવનારી બની હતી.
સાધના શુદ્ધિ સાધકતું શ્રી અરિહંત આદિ પદોની સાથે અભેદપણે જોડાણ થવું, એનું નામ તાત્તિવક સાધના છે. એકતા, લીનતા, તન્મયતા, એકાગ્રતા, લય, સમરસીભાવ, એકીકરણ, સમાધિ, સમતા, સ્થિરતા, સામ્ય, પ્રણિધાન, સમાપતિ, ઉપયોગ, સ્વરૂપરમતા, અદ્વૈતભાવ, ઉન્મનીભાવ, અમૃતક્રિયા–આ બધાં તાત્તિવક સાધનાનાં જ બીજાં નામ છે. સાધનાની આ સર્વશ્રેષ્ઠ દશા છે. આ સાધના શીઘ્ર ફળે છે. ધર્મ ગ્રન્થોમાં
જ્યાં જ્યાં ચમત્કારિક હકીકતેનું વર્ણન આવે છે, તેની પાછળ મુખ્ય ફાળો આ તારિક સાધનેને હોય છે. આમ છતાં આ સ્થિતિએ એકદમ પહોંચાતું નથી. ત્યાં સુધી પહોંચવા માટે તેને ગુણકારી અને અનિવાર્ય અનેક ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે અને તે ભૂમિકાઓને પણ કારણમાં કાર્યને ઉપચાર કરીને સાધના કહેવામાં આવે છે.
તાત્વિક સાધના સુધી પહોંચવા માટે, પ્રથમ “સ્થાન”