SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩. અને ક્ષણમાત્રમાં કેવી રીતે આપણને અનંત સુખનું ભાજન બનાવે છે તે વાત બરાબર સમજાય છે. પ્રભુને ભજો અને અનંત સુખ પામ ” “પ્રભુને ભૂલે અને નરક-નિગોદના અનંત કષ્ટ ભોગ” આવી જે સનાતન સત્ય વિશ્વ વ્યવસ્થા છે, તેની પ્રતીતિ પ્રભુના અતિશો આદિની પીછાણથી થાય છે. એ રીતે પ્રભુના અચિત્ય માહાભ્યને ખ્યાલ થતાં સાહજિક રીતે પ્રભુના પ્રભુત્વ પ્રત્યે અંતરંગ આદર ઉત્પન્ન થાય છે. અને સર્વત્ર પ્રભુને જ મહિમા દષ્ટિગોચર થાય છે. અને હૃદયના ઊંડાણમાં અનાયાસે એવી જાતના ભાવનાના તરંગો ઉછલ્યા કરે છે કે વાહ! પ્રભો વાહ! વાહ તારે અચિંત્ય પ્રભાવ ! વાહ તારી અનંત કરુણા ! પ્રભુ તુંહી તુંહી તુંહી, તુંહી, હે નાથ! “મારે એક તુજ શરણ છે ” હવે મને તારા શરણ અને સ્મરણ સિવાય બીજુ કાંઈ પણ જોઈતું નથી. પ્રતિસમય મારા હૃદયમાં આપની સ્મૃતિ સદા બની રહે ! એ જ એક મારી પરમ કામના છે. આ રીતે પ્રભુનું અર્ચિત્ય સામર્થ્ય ખ્યાલમાં આવતાં પ્રભુ પ્રત્યે આ અંતરંગ આદર ઉત્પન્ન થાય છે. જ્યાં નિરુપાધિક હાર્દિક આદર હોય, ત્યાં સ્વાભાવિક રીતે રસ પણ ઉત્પન્ન થાય છે અને જ્યાં રસ હોય ત્યાં ચિત્તમાં પ્રસન્નતા પણ પ્રગટે છે. અને જ્યાં પ્રસન્નતા હોય જ વધુ માટે જૂએ આ પુસ્તકમાં આગળ આપવામાં આવેલ “સ્વમેવ રાઉં મમ” નામને નિબંધ.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy