SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ “હે વીતરાગ ! તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. તે પછી જેઓ સત્ય બોલે છે, નીતિથી ચાલે છે, તપ કરે છે અને બીજા પણ શ્રી જિનેશ્વરદેવેએ કહેલાં સામાયિકાદિ નિરવઘ અનુષ્ઠાને આચરે છે, તેઓને શ્રી જિનપૂજા કરવાની શું જરૂર છે? સમાધાન–શ્રી જિનપૂજા કરવી, એ પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન જ છે. પૂજા કરતાં આજ્ઞાપાલન ૧-કહ્યું છે કે 'उचितद्रव्यस्तवस्याऽपि आज्ञापालनरूपत्वात् भावस्तवाङ्गतया विधानादिति ।। ધર્મબિન્દુ અધ્યાય -સુત્ર ૪૬-૪૭. ઉચિત દ્રવ્યસ્તવ–શ્રી જિનેશ્વરદેવોની દ્રવ્યપૂજા પણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાના પાલનરૂપ છે. કારણ કે- દ્રવ્યસ્તવનું વિધાન ભાવસ્તવ-સુયતિધર્મના કારણરૂપ છે. વિષયપિપાસાદિ કારણે વડે સાઘુધર્મ રૂપી મન્દિરના શિખર પર આરોહણ કરવાને અસમર્થ છતાં ધર્મને કરવાની ઇચ્છાવાળા પ્રાણુને માટે બીજા મેટા સાવદ્યથી નિવૃત થવાને બીજે કંઈપણ ઉપાય દેખાતો નથી ત્યારે શ્રી જિનેશ્વરદેવ તેને માટે સદારે ભરૂ૫ શ્રી જિનપૂજાદિ વ્યસ્તવને ઉપદેશ આપે છે. કહ્યું છે કે " काले सुइभूएणं विसिहपुप्फाइएहिं विहिणा उ । सारथुइथोत्तगरुई जिणपूआ होइ कायव्वा ॥ १ ॥" ગ્ય કાલે, પવિત્ર બનીને, વિશિષ્ટ પુષ્પાદિ સામગ્રી વડે એક
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy