SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ મોક્ષમાર્ગમાં મોટો લાભ થાય છે તેમની ચર્ચાને જેવાથી ક્ષમાની શ્રદ્ધા વધે છે, તેમના ઉપદેશને સાંભળવાથી મોક્ષમાર્ગનું જ્ઞાન વધે છે અને તેમની સેવાને કરવાથી મોક્ષપ્રાપ્તિને રોકનારા કર્મો ખપે છે. વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યોને સંબંધ એ આ સંસારમાં જેમ દુર્લભ છે, તેમ તેમનાં વચનની સેવા અને તેમની આજ્ઞાનુસાર વર્તન એ એથી પણ વધુ કઠીન છે. તેથી વિતરાગની પ્રાર્થનામાં સૌથી છેલ્લી માંગણી તેમનાં વચનની સેવાની છે. (૮) તવચનસેવા. તેમનાં એટલે સદગુરુનાં વચન એટલે આજ્ઞા, તેની સેવા એટલે જીવનમાં તેને અમલ. સદગુરુની આજ્ઞાનુસાર જીવનમાં વર્તન થવું, એ ઘણું જ દુષ્કર છતાં અત્યંત જરૂરી છે, સદ્ગુરુને સદ્ગુરુ તરીકે ઓળખ્યા પછી પણ તેમની આજ્ઞાનુસાર વર્તન થવામાં અનાદિ સંજ્ઞાઓ, ઉન્મત્ત ઈદ્રિયે અને અતિ ચપળ મન-વચન-કાયાના રોગો ઘણાં આડા આવે છે, તે બધાને જીતવા અતિ દુષ્કર છે. તે ન છતાય અને સશુરુની આજ્ઞાનુસાર વર્તન ન થાય તે મોક્ષ મેળવવાનું કાર્ય અધૂરું જ રહે છે. વૈદ્યને આશ્રય લેવામાં આવે, પણ વૈદ્યના કથનાનુસાર ઔષધ ગ્રહણ કરવામાં ન આવે તે જેમ રોગ મટી શકતો નથી, તેમ સશુરુની સેવા મલ્યા પછી પણ, તેમના હિતોપદેશને અમલ કરવામાં ન આવે તે કરગ ટળી શકે નહિં.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy