SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ પરાભવ અને પિતાને ઉત્કર્ષ સારવાને ભાવ છુપાયેલું હોય છે. જે વાતમાં પરપરાભવ અને સ્વપ્રશંસા ન હોય, તે વાતમાં માણસને વધારે રસ આવતે જ નથી એ સ્થિતિમાં નિન્દાવૃત્તિથી બચવું કે તેનાથી છૂટવું એ શ્રી વીતરાગની કૃપા સિવાય શક્ય નથી. શ્રી વીતરાગની દયા જ તેનાથી છોડાવી શકે છે. બાકી તે લગભગ બધા જ તે વ્યસનમાં ફસાએલા છે અને એ કુવ્યસનના કલંકે પરસ્પર અપ્રીતિ, પ્રàષ અને વિષાદની સળગતી જવાળામાં જળી રહ્યા હોય છે. એનાથી બચવાને એક જ ઉપાય લેકવિરુદ્ધ ત્યાગની ભાવના છે. નિન્દામાં પણ ગુણ પુરુષની નિન્દા વિશેષ ત્યાજ્ય છે. બહુજન વિરોધ, ચિત્તની સ્વસ્થતાને વધારે ને વધારે બાધક થાય છે. બહુજન વિરુદ્ધને સંગ તથા પ્રસિદ્ધ દેશાચાનું ઉલંઘન પણ બહુજન વિરોધની જેમ ચિત્તસ્વાથ્યને બાધક છે. એ વિગેરે લેકવિરુદ્ધ કાર્યો કદી પણ મારાથી ન થાઓ, એ જાતિની વીતરાગ પાસે પ્રાર્થના કરવી એ પણ “ભવનિર્વેદને સાધવાનું સાધન છે. (૫) ગુરજનપૂજા. વીતરાગની પાસે પાંચમી પ્રાર્થના ગુરુજન એટલે માતાપિતાદિ વડીલજન-તેઓની પૂજા એટલે ઉચિત પ્રતિપત્તિ (ભક્તિ-વિનય ઈત્યાદિ) છે. માતાપિતાદિ ઉપકારી જનની ઉચિત પ્રતિપત્તિ જેઓ કરતા નથી તેઓ જાનવરથી અધિક નથી. કહ્યું છે કે– “ભારતન્યાનાકનની મતિ ” ઈત્યાદિ. સ્તનપાન કરાવે ત્યાં સુધી માતાને માતા તરીકે માને, તે
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy