SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ આ શ્રદ્ધાદિ પાંચ ગુણો અપૂર્વકરણ નામની મહાસમાધિના બીજ છે. તેના પરિપાક અને અતિશયથી અપૂર્વ કરણની પ્રાપ્તિ થાય છે. કુતર્કોથી ઉત્પન્ન થતા મિથ્યા વિકપોને દૂર કરી શ્રવણ, પઠન, પ્રતિપત્તિ, ઈચ્છા અને પ્રવૃત્તિમાં જોડાવું, એ એને પરિપાક છે. તથા સ્થય અને સિદ્ધિ પ્રાપ્ત કરવી, એ એને અતિશય છે. શ્રદ્ધાદિ ગુણેના પરિ પાક અને અતિશયથી પ્રધાનપરોપકારના હેતુભૂત અપૂર્વક૨ણ નામના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. લાભને કમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાથી મેધા, મધાથી ધૃતિ, ઘતિથી ધારણા અને ધારણાથી અનુપ્રેક્ષા તથા વૃદ્ધિને કેમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાની વૃદ્ધિથી મેધાની વૃદ્ધિ, મેધાની વૃદ્ધિથી ધૃતિની વૃદ્ધિ, ધૃતિની વૃદ્ધિથી ધારણાની વૃદ્ધિ અને ધારણાની વૃદ્ધિથી અનુપ્રેક્ષાની વૃદ્ધિ થાય છે. : RED ૧ ક
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy