SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ તે પછી તેની અભિલાષા કરવાની પણ શી જરૂર? એ જાતિની શંકા નહિ કરવી. કિલષ્ટકમના ઉદયથી કદાચિત્ પ્રાપ્ત થયેલું સમ્યફ ચાલી પણ જાય અથવા જન્માંતરમાં તે ન પણ મળે, એ કારણે તેની પ્રાર્થના કરવી ઉચિત છે. અપ્રાપ્તની પ્રાપ્તિ માટે જ પ્રાર્થના હોય છે એમ નથી કિન્ત પ્રાપ્ત થઈને ચાલી ગયેલું પણ પ્રયત્નથી પ્રાપ્ય છે, માટે પ્રાર્થના કરવાની છે. અથવા ક્ષાપશમિક સમ્યક્ત્વની અપેક્ષાએ શાયિક સમ્યકત્વ શીઘ્ર ફળસાધક છે, તેને માટે પણ પ્રાર્થના કરવાની છે. નિરુપસર્ગ-મક્ષ પણ ક્ષાયિક સમ્યક્ત્વને આધીન છે. ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિનો ભાવ ટકાવી રાખવા માટે મોક્ષની પ્રાર્થના પણ સાર્થક છે. સદ્ધા-શ્રદ્ધા વડે. મારી ઈચ્છા વડે કિન્તુ કોઈના બલાત્કારાદિથી નહિ. શ્રદ્ધા-મિથ્યાત્વ મેહનીય કર્મના ક્ષેપમાદિથી જન્ય ચિત્તની નિજ અભિલાષા રૂપ એક પ્રકારની પ્રસન્નતા આ શ્રદ્ધા જીવાદિ તાવિક પદાર્થને અનુસરનારી, ભ્રાંતિને નાશ કરનારી તથા કર્મફળ, કર્મ સંબંધ અને કર્મના અસ્તિત્વની સમ્યક્ પ્રતીતિ કરાવનારી છેશાસ્ત્રમાં એને “ ઉદકપ્રસાદકોમણિ'ની ઉપમા આપવામાં આવી છે. સરોવરમાં નાખેલ ઉદકપ્રસાદકમણિ જેમ એકાદિ કાલુષ્યને દૂર કરી સ્વચ્છતાને પમાડે છે તેમ શ્રદ્ધામણિ પણ ચિત્તરૂપી સરેવરમાં રહેલ સંશયવિપર્યયાદિ કાલુષ્યને દૂર કરી ભગવાન્ અરિહંતપ્રણીત માર્ગ ઉપર સમ્યગૂ ભાવ ઉત્પન્ન કરે છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy