________________
ગુણેને નિવેશ કરે તેને “સંસર્ગોપ” નામની સમાપત્તિ કહેવામાં આવે છે અને પરમાત્મામાં અંતરઆત્માનું વિલીનીકરણ કરવું અર્થાત્ અભેદભાવે પરમાત્મામાં લય પામી જવું તેને “અભેદારેપ' નામની સમાપત્તિકહેવામાં આવે છે. આ રીતે મહામુનિઓએ સમાપત્તિના બે ભેદ કહ્યા છે. અરિહંત પરમાત્માના ગુણની સ્તુતિ કરતાં, તેમનું ધ્યાન કરતાં, તેમાં એકતાન થતાં અને તેમાં લય પામતાં તે બન્ને પ્રકારની સમાપત્તિ થાય છે.
પ્રભુના ગુણેના સમૂહરૂપી ગંગાજળમાં નાન કરવાથી આત્માને કર્મમળ દૂર થાય છે. અને જીવજ્ઞાન અને આનંદથી ભરપૂર એવા સનાતક પદને પ્રાપ્ત કરે છે. એક ક્રિયાની સફળતાને આધારે ધ્યાનશુદ્ધિ છે.
જેનશાસનમાં તપની સાથે જ૫ આદિનું જે અનુષ્ઠાન રાખવામાં આવે છે, તેનું તાત્પર્ય એ છે કે, તપશ્ચર્યા દરમ્યાન ચિત્તની વિશુદ્ધિ સરળતાથી થાય છે અને એ વિશુદ્ધ ચિત્ત દ્વારા જ્યારે જપ વગેરે કરવામાં આવે છે ત્યારે તેમાં પરમાત્માનું પ્રતિબિંબ પડે છે. અને એને જ શાસ્ત્રીય ભાષામાં સમાપત્તિના નામથી ઓળખાવવામાં આવે છે. આ રીતે તપ–જપ દ્વારા પરમાત્માની સાથે સમાપત્તિ થવા રૂપ મહાન કાર્ય થતું હોવાથી તે ક્રિયાનું મૂલ્ય ઘણું જ *પ્રભુ ગુણ ગણુ ગંગાજળે નાહિ, કીયે કર્મમળ દૂર રે; સ્નાતકપદ જિનભતે લહીએ, ચિદાનંદ ભરપૂર રે.
પૂ ઉપા૦ શ્રી યશ વિ. મ૦