SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ કાન વીતરાગના ગુણોનું શ્રવણ કરે છે, તે જ સાચા કાન છે, બીજા કાન માત્ર શરીરનાં છિદ્રો છે. શ્રી વીતરાગ દે ચારે નિક્ષેપાઓથી ત્રણે જગતને ત્રણે કાળ પવિત્ર કરતાં જવંત વર્તે છે. તેઓના આઠ પ્રાતિહાર્યો, ચોત્રીસ અતિશયે અને વાણીના પાંત્રીસ ગુણો જગતના જીવોને મોક્ષમાર્ગ પામવામાં સહાયક નિવડે છે. અનાર્ય દેશને પાટવી આદ્રકુમાર અને યજ્ઞ કરાવનાર શäભવભટ્ટ શ્રી જિનપ્રતિમાના દર્શનથી તત્ત્વજ્ઞાન પામ્યા હતા. શ્રી જિનચંદનના પરિણામથી દેડકે સૌધર્મ દેવલોકમાં “દદ્રાંક” નામને શકને સામાનિક દેવ થયા છે. હાસા-મહાસાના પતિએ આભિગિકપણાના દુષ્કર્મથી મુક્ત થવા દેવલોકમાં દેવાધિદેવની પ્રતિમા ભરાવી હતી. શ્રી જિનભક્તિથી ચેટક મહારાજા કેન્દ્રને પણ માનનીય બન્યા હતા. સર્વ દેવેન્દ્રો સંસારનો પાર પામવા શ્રી નંદીશ્વરાદિક તીર્થમાં અઠ્ઠાઈ ઓચ્છવ કરે છે. શ્રી જિનબિમ્બના આકારવાળા મને જોઈ અન્ય મત્સ્ય જાતિસ્મરણ જ્ઞાન પામે છે તથા સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી પંચપરમેષ્ઠિનું ધ્યાન ધરતાં દેવલોકમાં ઉત્પન્ન થાય છે. દેવ મનુષ્ય કે નાગકુમારનું અધિપતિપણું, એ શ્રી જિનચરણની સેવાના ફળને લેશ છે. ત્રણ લોકની લક્ષમી કે અષ્ટ મહાસિદ્ધિની પ્રાપ્તિ થવી સુલભ છે, કિન્તુ શ્રી જિનચરણની રચના કણયાઓની પ્રાપ્તિ થવી દુર્લભ છે. મેઘનું જળ જ તળાવમાં હોય છે છતાં તળાવનું જળ કહેવાય છે. તેમ શ્રી જિનના વચનને લઈને
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy