SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ રાખતા નથી તેઓ જ સર્વોત્તમ ભક્તિને પાત્ર ગણાય છે. શ્રી જિનેશ્વરદે પણ પોતાની પૂજાને સર્વથા ઈચ્છતા નથી માટે જ શ્રી સર્વોત્તમ ભક્તિને પાત્ર છે. શીલધમ ઈન્દ્રિયોને વશમાં રાખવી તે શીલધર્મ છે. શ્રી જિનપૂજામાં જેટલે કાળ જાય છે, તેટલો કાળ પાંચે ઈન્દ્રિય સંવરભાવને પ્રાપ્ત કરે છે. તપધર્મ-શ્રી જિનેશ્વર દેવના પૂજનકાળમાં ચારે પ્રકારના આહારનો ત્યાગ થાય છે, તેથી બાપ થાય છે, અને શ્રી જિનેશ્વર દેવની પૂજાથી વિનય, વૈયાવચ્ચ, ધ્યાન આદિ થાય છે, તેથી અત્યંતર તપ પણ સધાય છે. ભાવધિમ-શુભ ભાવ વિના સંસારનાં કાર્યોને છોડી શ્રી જિનપૂજામાં સમય ગાળી શકાતું નથી, માટે શ્રી જિનપૂજામાં પ્રવર્તનારને શુભ ભાવ અવશ્ય હોય છે. અહિંસાધર્મ-શ્રી જિનપૂજા વખતે શ્રી જિન પૂજાના વ્યાપાર સિવાયની સર્વ ક્રિયાને ત્યાગ થાય છે, તેથી સંસારનાં કાર્યો સંબંધી થતી સર્વ હિંસાને તેટલા વખત માટે ત્યાગ થતો હોવાથી અહિંસાધર્મ પણ સધાય છે. સત્યધર્મ-શ્રી જિનપૂજનના કાળમાં અસત્ય બોલ વાનું હોતું નથી માટે સત્યધર્મ પણ સધાય છે. અસ્તેયધર્મ-શ્રી જિનપૂજન વખતે ચોરી કરવાની હેતી નથી તેથી અસ્તેય ધર્મની પણ આરાધના થાય છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy