SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ પ્રીતિઅનુષ્ઠાન—જેમાં પ્રયત્નના અતિશય હાય, પરમ પ્રીતિ હાય અને શેષક્રિયાના ત્યાગ હોય, તે પ્રીતિ અનુષ્ઠાન છે. ભક્તિઅનુષ્ઠાન--જેમાં પ્રયત્નના અતિશય હાય, પરમ ભક્તિ હાય અને શેષ ક્રિયાના ત્યાગ હાય તે શક્તિ અનુષ્ઠાન છે. પત્ની અને માતાનું કૃત્ય સમાન હાય છે. પરન્તુ પત્ની પ્રત્યે પ્રીતિ હોય છે અને માતા પ્રત્યે ભક્તિ હાય છે. એટલે! પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાન વચ્ચે તફાવત છે. વચનાનુષ્ઠાન-શાસ્ત્રના વચન મુજખ સત્ર ઉચિત પ્રવૃત્તિ કરવી તે વચનાનુષ્ઠાન છે. અસંગાનુષ્ઠાન—દેઢતર સાંસ્કારથી શાસ્ત્રના વચનની અપેક્ષા વિના ચંદનગંધ સમાન સ્વભાવથી જ શુદ્ધ અનુષ્ઠાન થવું તે અસંગ અનુષ્ઠાન છે. તે જિનકલ્પિકાદિ મહામુનિઓને હાય છે. ચક્રનુ ભ્રમણ જેમ પ્રારંભમાં ક્રૂડના વ્યાપારથી હાય છે પણ પછી પેાતાની મેળે જ 'સ્કારના ગે ર્યાં કરે છે. તેમ વચનાનુષ્ઠાન એ વચનના વ્યાપારથી હાય છે અને અસંગ અનુષ્ઠાન વચનના વ્યાપારથી જનિત સ'કારવિશેષથી હાય છે. બીજી રીતે પણ અનુષ્ઠાનનાં પાંચ પ્રકાર બતાવ્યા છે— વિષાનુષ્ઠાન-વિષ સ્થાવર અને જગમ એમ બે પ્રકારનું છે. સેમલાદિ એ સ્થાવર વિષ છે અને સર્પાદિ એ જગમ વિષ છે. એ ઉભય પ્રકારનું વિષ જેમ પ્રાણના નાશ કરે છે, તેમ લબ્ધિ કીતિ આદિ આ લેકના લની અપેક્ષાથી
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy