SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ છેષભાવ રાખ્યા વિના પરોપકાર સાધવાની અભિલાષાપૂર્વક વય નિરવ અનુષ્ઠાન સાધવામાં સાવધાન-એકાગ્ર રહેવું. પ્રવૃત્તિ-અધિકૃત ધર્માનુષ્ઠાનને વિષે ઉત્સુકતા વિના અતિશય પ્રયત્નપૂર્વક પ્રકૃષ્ટ અને નિપુણ ઉપાયવડે પ્રવૃત્તિ કરવી. વિષ્ણજય-ધર્મમાં અંતરાય કરનારા જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વિનું નિવારણ કરવું, માર્ગમાં જતાં જેમ કંટક, જવર અને દિશાહ વિનભૂત થાય છે, તેમ મુક્તિનું અનુષ્ઠાન કરતાં કંટકવિદનસમાન શીતાણાદિ પરીષહે છે, જવવિદનસમાન શારીરિક રંગો છે અને દિશામહ સમાન મિથ્યાત્વાદિને ઉદય છે, તેને અનુક્રમે આસનવડે, અનિવડે અને ગુરુસેવાદિ વડે જય થાય છે. આસન સિદ્ધાસનાદિ અને અશન-હિત મિત આહારદિ. સિદ્ધિ-અધિકૃત અહિંસાદિ ધર્માનની સિદ્ધિ પ્રાપ્તિ. જેમાં અધિક ગુણ પ્રત્યે વિનય, હીન ગુણ અથવા નિર્ગુણ પ્રત્યે દયા અને મધ્યમગુણ પ્રત્યે ઉપકારની ભાવના પ્રધાનપણે હોય છે. વિનિયોગ-સ્વ પ્રાપ્ત ધર્મસ્થાનને યથાયોગ્ય ઉપાય વડે અન્યને પમાડવું. એથી અનેક જન્મ જન્માક્તર સુધી પ્રકૃણ ધર્મસ્થાનની પ્રાપ્તિ થયા કરે છે. પ્રણિધાનાદિથી પરિશુદ્ધ સર્વ ધર્મવ્યાપાર અનુબંધવાળો હેવાથી યોગ કહેવાય છે. તેમાં પણ સ્થાનાદિની બુદ્ધિપૂર્વક
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy