________________
ગુણ -શ્રદ્ધા, જ્ઞાન અને વિરતિ આદિ જીવના સહવર્તિ પરિણામો, કેવલજ્ઞાન, કેવળદર્શન અને ક્ષાયિક ચારિત્રાદિના વર્ણનથી યુક્ત.
ગંભીર-સૂમ મતિથી સમજાય તેવા ભાવથી ભરેલાં અથવા આંતરિક ભાવથી રચાયેલાં.
વિવિધવસંયુક્ત વિભિન્નઈદ અને અલંકારોના કારણે વિચિત્ર પ્રકારના અક્ષર સંગવાળાં.
આશયવિશુદ્ધિજનક-ભાવવિશુદ્ધિને ઉત્પન્ન કરનારાં.
સંવેગપરાયણ-સંવેગ એટલે સંસારભય અથવા મોક્ષાભિલાષાની તત્પરતા જણાવનારા.
પુણ્ય-પુણ્યબંધના કારણભૂત અથવા પવિત્ર-૧
પાપનિવેદનગતિ -રાગદ્વેષ અને મેહથી સ્વયં કરેલાં, કરાવેલાં અને અનુમોદેલાં પાપોના નિવેદનથી ગતિ.
પ્રણિધાનયુક્ત-ચિત્તની એકાગ્રતા અને ઉપગપૂર્વક. વિચિત્ર-બહુ પ્રકારના અર્થવાળાં.
અખલિતાદિ ગુણેથી યુક્ત-આદિ શબ્દથી અમીલિત વિરામાદિથી સંયુક્ત, અવ્યત્યાગ્રંડિત-પુનરુક્તિ આદિ દે વિનાના.
મહામતિગ્રથિત-મહાબુદ્ધિમાન પુરુષથી વિરચિત તોત્ર-સ્તુતિ વિશેષ વડે શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરવી જોઈએ.