________________
શ્રી અરિહંત પરમાત્માના પૂજનની
ન્યાયપુરસરતા. શ્રી ઉમાસ્વાતિ વાચકવર્ય શ્રી તત્ત્વાર્થ ભાષ્યમાં ફરમાવે છે કે – “ગર્વનનાં મન પ્રસારતતા સમાધિ
तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ।। १ ॥
શ્રી અરિહંત-રાગદ્વેષાદિ મલથી રહિત આત્માઓની અભ્યર્ચના, અભિગમન, તુતિ, વન્દન અને પર્યું પાસના આદિથી મન પ્રસાદ ચિત્તની પ્રસન્નતા થાય છે. જેમ નિર્મલ જલથી મેલ દૂર થાય છે તેમ મલિન જલથી મલની વિશુદ્ધિ થતી નથી. તે જ રીતે શ્રી અરિહંતે રાગદ્વેષાદિ મલથી રહિત હોવાથી તેમની ઉપાસના કરનારાઓના રાગાદિ મલે નાશ કરનારા થાય છે. રાગાદિ મલો નાશ પામવાથી ચિત્ત પ્રસન્ન થાય છે. ચિત્તની પ્રસન્નતાથી સમાધિ-ચિત્તની એકાગ્રતા થાય છે. ચિત્તની એકાગ્રતા-શાન્તતા થવાથી શુશ્રષા તવશ્રવણની અભિલાષા થાય છે. તવશ્રવણની અભિલાષાથી સાચું ભાવનાવાળું શ્રવણ થાય છે. ભાવયુક્ત શ્રવ ણથી તરવવિષયક ગ્રહણ, ધારણ અને ઉહાપોહ થાય છે. ગ્રહણ, ધારણ અને ઉહાપોહથી તવને અધિગમ થાય છે. તત્વને અધિગમ થવાથી હિતની પ્રાપ્તિ અને અહિતને પરિહાર થાય છે. હિતપ્રાપ્તિ અને અહિતને પરિહાર થવાથી નિઃશ્રેયસ-પરમકલ્યાણરૂપ મુક્તિની પ્રાપ્તિ થાય છે. એ રીતે સમાધિથી માંડીને નિઃશ્રેયસ પર્વતના કલ્યાણની