SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ચૌદમું નિધૂમ અગ્નિનું સવ બહુ ગંભીર આશય રજુ કરે છે. કવિવર તેને અર્થ સ્કુટ કરતાં વદે છે કે - ભવિક મનમાં કનક શુદ્ધમાણ થાશે સુત કરનારેજી, ચૌદમે અને નિર્ધમ અગ્નિ, માતા જુવે સુવિચારેજી; સુણે ભવિ પ્રાણી જી રે. (૧૪) નિધૂમ અગ્નિ એટલે ધુમાડા વિનાને અગ્નિ. આ પ્રકારનો સ્વચ્છ-જાજવલ્યમાન-વલંત-જજવલ અગ્નિ માતાજીને કહે છે કે – “હું જેવી રીતે મારા નિજ સામર્થ્યથી -તાપથી ગમે તેવા મલિન સુવર્ણને સ્વચ્છ બનાવું છું, અને સુવણને તેજસ્વી બનાવું છું, તેવી રીતે તમારે પુત્ર જગતના ભવ્ય જીવોનાં અંતઃકરણમાં રહેલી મલિનતાને દૂર કરી તેમના આત્માને પિતાના શુદ્ધ સ્વરૂપમાં આણશે.” આ કનકશુદ્ધિનું દષ્ટાંત બહુ વિચારણીય છે. કનકની સાથે અશુદ્ધિ-મલિનતા ક્યારે મળી તે જેમ કઈ જાણતું નથી. તેમ આત્માને કર્મને લેપ કયારથી થયે, એ વાત પણ કોઈ કહેવાને સમર્થ નથી. પ્રયત્નથી જેમ કનકની મલિનતા નિવારી શકાય છે અને તેને તેના શુદ્ધ સ્વરૂપમાં મૂકી શકાય છે તેવી જ રીતે સંસારના રાગ-દ્વેષાદિ પ્રપં ચામાં રચીપચી રહેલે આત્મા પણ દાન, શીલ, તપ, ભાવ, જ્ઞાન, ક્રિયા આદિ ઉપાયથી સ્વચ્છ તથા સ્ફટિક સરખે નિર્મળ બની પિતાના જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ સ્વભાવને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. અગ્નિ જેવી રીતે કનકને શુદ્ધ કરતાં પહેલાં તેને ખૂબ તાવે છે અને તેના ઉપર અનેક સંરકાર કરે છે, તેવી જ રીતે આત્માને શુદ્ધ કરવા અર્થે
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy