________________
૨૦૨
ફરક્યા કરે છે. આપણે સર્વે એ પ્રભુની ધર્મધ્વજાના આશ્રય તળે ભાગ્યયેગે આવી મળ્યા છીએ, તે માટે આપણે આપણી જાતને પરમ ભાગ્યશાળી માનવી જોઈએ. પરાપૂર્વના પ્રબળ પુણ્યપ્રતાપે જ તીર્થંકર મહારાજનું શાસન તથા તેમની ધર્મધ્વજાને જીને આશ્રય મળે છે. એ વાત સૌ કોઈ જાણે છે.
નવમા સ્વપ્નમાં પવિત્ર કળશ પ્રત્યક્ષ થાય છે અને પિતાના દર્શનનું ફળ દર્શાવતાં કહે છે કે – શાંતાદિક ગુણરત્નના દરીઆ મેં પૂછું તુજ પુત્ર, નવમે સ્વાને માજી જાણે, એમ કહે કળશ પવિત્રજી;
સુણે ભવિ પ્રાણુજી રે. (૯) - કળશ કહે છે કે “હે પરમ ભાગ્યવતી જનની! તમારે પેટે એક એ પુત્ર જન્મશે કે જે સર્વ પ્રકારે મારા જેવો જ સંપૂર્ણ અને ગુણરત્ન ધારી થશે, અને હું પણ જેની પૂજા કરવાને સદા તત્પર રહીશ.” અધુરો ઘડો હોય તે જ છલકાય છે, એવી આપણામાં એક સાધારણ કહેવત છે. તે બહુ અર્થસૂચક છે. જેમના આત્મામાં શાંતિને, ક્ષમાને અથવા ધિય ગુણ નથી ખીલ્યું હતું અને લોકોની પાસેથી કેવળ માન મેળવવા માટે અનેક પ્રકારના પ્રપંચ કરે છે, અવસરે તેઓ સંપૂર્ણ શાંતિ રાખી શકતા નથી અને ક્વચિત ક્રોધથી એવા ધમધમી નીકળે છે, કે તેમને માટે આપણને દયા કુર્યા વિના રહેતી નથી. તીર્થકર