SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ હાથીઓના રાજા તરીકે જેને ગજપતિ કહી શકાય તે ગજવર હોય છે. તેના ચાર મનહર દાંતે હોય છે. એ ચાર દાંતે ચાર પ્રકારના ધર્મોનું અર્થાત્ દાન, શીલ, તપ, ભાવનું સૂચન કરે છે. ઇંદ્ર માતાજીને કહે છે કે- આ ચાર દાંત જેમ હાથીના મુખમાંથી બહાર નીકળ્યા છે તેમ તમારા મહાપુરૂષાથી અને ઉન્નત પુત્રના મુખમાંથી પણ ધર્મોપદેશનું દિવ્ય કુરણ થશે, અને એ ઉપદેશને અવધારી ભવ્ય છે પરમ કલ્યાણને સાધશે ચાર પ્રકારને ધમ કહેવાથી તેમાં સર્વ પ્રકારની ક્રિયાઓ, સિદ્ધાંતે તથા વિધિ-નિષેધ સમાઈ જાય છે. દાનથી માણસનું હૃદય ઉન્નત થાય છે. અભિમાન, મોહ, આદિ આંતરિક શત્રુઓ દાનગુણથી પરાજિત થાય છે. શીલથી મનુષ્યનું ચારિત્ર દેદીપ્ય માન બને છે, તપથી અંતર-બાહ્યની વિશુદ્ધિ થાય છે અને ભાવનાથી આત્માનું– હદયનું-મનનું અને શરીરનું બળ સવિશેષ સ્કૂત્તિ પ્રાપ્ત થવાની સાથે પરમ કલ્યાણક્ષને સાધી શકે છે. ત્રિપદીના સારા માત્રથી કેવલી ભગવાન જેમ સંસારનું આબેહૂબ ચિત્ર દર્શાવી આપે છે, તેમ ચાર પ્રકારના ધર્મ થી સર્વજ્ઞ ભગવાન ધર્મનાં સર્વ રહસ્યોનું ટુંકામાં સૂચન કરી દે છે. દાન, શીલ, તપ, ભાવથી અતિરિક્ત એ કઈ ધમ ઉદભવ્યો નથી, તેમ ઉદ્દભવે એ સંભવ પણ નથી એ ચાર પ્રકારના ધર્મોમાંથી જ એકેક પ્રકારને આશ્રય લઈ અનેક ધર્મો આજ સુધીમાં પ્રવર્યા છે. ક્ષના * ચિત્ર કાવથી પ બીજા સ્વપ્નમાં ગગન મંડળમાંથી ઉજજવળ વૃષભ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy