SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ગણધર ભગવાન બેસે છે પછી કેવળજ્ઞાની મહર્ષિએ, પછી મન:પર્યવજ્ઞાની વગેરે મહદ્ધિક સાધુઓ તથા પાછળ બીજા સાધુ મહારાજ હોય છે. પછી પાછળ વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ ઉભી હોય છે. પ્રભુ ત્યાં સમવસરણમાં ધર્મની અને તાવની દેશના આપે છે અને અનેક જીવને બધ પમાડી એમના મિથ્યાત્વાદિ દેશે હઠાવીને એમને સાધુપણું. શ્રાવકપણું અને સમ્યક્ત્વાદિ આપે છે. (૧૨) વચનાતિશય, પ્રભુ જે દેશના આપે છે, તે વાણ પાંત્રીસ ગુણવાળી હોય છે એનું વર્ણન આ પુસ્તકમાં અન્યત્ર કરવામાં આવ્યું છે. એ વાણીમાં એવી તે મીઠાશ રહેલી હોય છે કે તેને દષ્ટાંતથી સમજવું હોય તો ધારો કે એક બાજુ જેઠ માસનો ધીખત તાપ છે, બીજી બાજુ શેઠની ધમકીથી ભારે લાકડાને ભારે, માથે ઉંચકી કોઈ દુબળ ડોશી અત્યંત થાકેલી અને બહુ ભૂખ તરસથી ખાન પાનની ઉતાવળમાં ઝટપટ ઝટપટ ચાલી આવતી હોય, અને ત્યાં એમાંથી એકાદ લાકડું નીચે પડી ગયું તેને લેવા એક હાથે માથે ભાર પકડી રાખી કેડેથી નમી બીજો હાથ નીચે નમાવે. બરાબર એટલામાં જ ધારે કે નજીકમાં રચાયેલા સમવસરણ પરથી નીકળેલી પ્રભુની મધુરી વાણીનો સુર ડેશીના કાન પર પડે, તે એ સાંભળવાના રસમાં એમ જ વાંકીને વાંકી વળેલી વળેલી ઉભી રહી જાય અને ભૂખ, તરસ, થાક, અશકિત, દુઃખ એ બધું ભૂલીને મહા આનંદમાં મગ્ન થઈને એ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy