SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ () અપાયા પગમ અતિશય. પ્રભુને આ અપાયાપરામ નામને અતિશય બે પ્રકારે હોય છે એક સામાન્ય અને બીજો વિશેષ. તેમાં સામાન્યમાં પિતામાં અઢાર પ્રકારના દેને જે નાશ થાય છે તે સમજ અને વિશેષ અર્થમાં શ્રી અરિહંત પરમાત્મા વિચરતા હોય ત્યાંથી ચારે બાજુના સવાસે જનમાંથી મારી મરકી આદિ ઉપદ્ર શાંત થઈ જાય છે.* (૧૦) જ્ઞાનાતિશય, અઢારેય દૂષણે નાશ પામ્યાથી તીર્થંકર પરમાત્મામાં કેવલજ્ઞાન, કેવલદર્શન પ્રગટે છે. તેનાથી લોક, અલક સમસ્ત જગતના સર્વ જી અને સર્વ પુદ્ગલાદિ અજવા દ્રવ્યોની સર્વ ભૂત ભાવી–વર્તમાનકાળની દરેકે દરેક અવસ્થા ભગવાન પ્રત્યક્ષ જાણે છે અને જુએ છે. એમનાં અનંતજ્ઞાનદર્શનમાં જોવા-જાણવામાંથી કયાંય કશું જ બાકી રહેતું નથી, તે પણ મનને ઉપગ મૂક્યા વિના સદા જેતા જાણતા જ બિરાજે છે. દાખલા તરીકે જેમ દર્પણમાં સહજ ભાવે એની સામેની બધી ખુલી ચીજોનું એકી સાથે પ્રતિબિંબ પડે છે એવી રીતે આ અનંતજ્ઞાન દર્શનમાં સમસ્ત દ્રવ્યના ત્રિકાળવર્તી ભાવ જાણે પ્રતિબિંબિત થાય છે, દરેક ભાવ પર જ્ઞાનને પ્રકાશ પડે છે. આવા જ્ઞાનથી એ * જેનું વર્ણન આ પુસ્તકમાં અન્યત્ર કરવામાં આવ્યું છે. ૪ આનું વર્ણન પણ આ પુસ્તકમાં અન્યત્ર કરવામાં આવ્યું છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy