SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ રહિત અને રાગદ્વેષ તથા મોહરૂપ મેટા શત્રુઓ પર વિજય કરનારા આવા જે દેવ હોય તેઓને જ જગતમાં દેવાધિદેવ એવું નામ છાજે છે. એવાઓને જ દેવાધિદેવનું બિરૂદ શોભે છે. એ પ્રમાણે ગુણોના સમૂહથી મહાન્ ત્રણે લોકમાં મહાન પ્રતિષ્ઠાને પામેલા, સર્વ દેવતાઓ, અસુરો અને મનુષ્યમાં સૌથી શ્રેષ્ઠ સૌથી ઉત્તમ એવા ભગવંત પૃથ્વીતલ ઉપર વિચરીને કુમતરૂપી અંધકારને નાશ કરે છે અને સત્યપંથરૂપી પ્રકાશને પાથરે છે. તેઓ અનાદિ અને પ્રબલ એવા મિથ્યાત્વને નાશ કરે છે, જિનશાસનની મહાન ઉન્નતિ કરે છે, જાણવા લાયક પદાર્થોને યથાર્થ રૂપમાં જણાવે છે. અનેક ભવ્ય જીવોને પ્રતિબંધ કરીને ભવભ્રમણના પ્રબલ કારણરૂપ તેમના કુબે-અજ્ઞાનને નાશ કરે છે. ત્યાર પછી આયુષ્ય કર્મના અંતે શુકલધ્યાન વડે ભવેપગ્રાહી ચાર અઘાતિ કર્મને ક્ષય કરીને એક જ સમયની ઋજુશ્રેણિવડે લેકના અગ્રભાગ ક્ષેત્રરૂપ મોક્ષમાં જાય છે, તેઓ લોકારથી ઉપર જતા નથી કારણ કે અલોકમાં જવા માટે ઉપગ્રહને અભાવ છે, તેઓ નીચે પણ આવતા નથી કારણે નીચે આવવા માટે જે ભારેપણું જોઈએ તે તેમનામાં નથી, યોગ-પ્રગનો અભાવ હોવાથી તેઓ તિર્થી પણ જતા નથી પણ સદાકાળ લોકના અગ્રભાગે સિદ્ધશિલા ઉપર બિરાજી રહ્યા હોય છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy