SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ ગણાતી પ્રત્યેક ઔષધિઓના પ્રભાવમાં અત્યંત વૃદ્ધિ થાય છે. રત્ન, સુવર્ણ, રૂપું આદિ ધાતુઓની ખાણેમાં તે તે ધાતુઓની ઘણી જ અધિક ઉત્પત્તિ થાય છે. સમુદ્રમાં ભરતી અધિક આવે છે. પણ અત્યંત સ્વાદિષ્ટ અને શીતલ થાય છે, સર્વ પુપે અતિ સુગંધી થાય છે. પૃથ્વીની અંદર રહેલાં રત્નસુવર્ણાદિકનાં નિધાને પૃથ્વી ઉપર ચડી આવે છે. શ્રી તીર્થકરોના જન્મ સમયે વિદ્યા અને મંત્ર સાધનારા પુરુષને વિદ્યાસિદ્ધિ તથા મંત્રસિદ્ધિ સુલભ થાય છે. લોકોના હૃદયમાં સદબુદ્ધિ ઉત્પન્ન થાય છે પ્રાણીએનાં મન દયાથી કોમળ બને છે. લેકના મુખમાંથી અસત્ય વચન નીકળતાં નથી. પારકું દ્રવ્ય હરણ કરવાની મતિ થતી નથી. કુશીલ જનને અભાવ થાય છે. ધ વડે અન્ય જનને પરાભવ કઈ કરતું નથી. માન વડે કઈ વિનયનું ઉલ્લંઘન કરતું નથી. કપટબુદ્ધિથી બીજાને છેતર વાની કોઈને બુદ્ધિ થતી નથી. લોભ વડે લેકે ન્યાયનું ઉલંઘન કરતા નથી. લોકોનાં મનમાં સંકલવિકલપજનિત સંતાપ હોતે નથી. પરને પીડા થાય એવી વાણી લોકો બોલતા નથી. પોતાની કાયાથી કોઈ અશુભ પ્રવૃત્તિ કરતું નથી. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી તીર્થકર ભગવંતેના જન્મ સમયે ક્ષણવાર લોકો એટલા બધા આનંદમય બની જાય છે કે તેમને તે વખતે કઈપણું પ્રકારના જૂર કાર્ય કરવાની, અસત્ય બોલવાની, ચેરી કરવાની, સદા
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy