SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ અનુભવી ત્યાંથી અવીને શ્રી તીર્થકરે ચરમ જન્મમાં સર્વોત્તમ તથા વિશુદ્ધ જાતિ-કુલ અને વંશને વિષે ઉત્પન્ન થાય છે, ત્યાં તેમના (તીર્થકરના ) અવતારના પ્રભાવે તેમની માતાને ચૌદ મહાસ્વપ્ન આવે છે. | તીર્થકરો માતાના ગર્ભમાં પણ ઉત્તમ પ્રકારનાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સહિત હોય છે. તેઓ જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે તેમના પૂર્વના મહાન પુણ્યદયથી પ્રેરાયેલા જાંભક નામના દે ઈન્દ્રની આજ્ઞાથી ભૂમિ આદિમાં રહેલા માલિક વિનાના સુવર્ણ-રત્નાદિકના અનેક મહાનિધાને લઈ આવી તીર્થ". કરીના પિતાના ઘરમાં મૂકે છે. માતાના ગર્ભવાસમાં બીજા જીવોને ગર્ભાવાસની જે વેદના અનુભવવી પડે છે તે વેદના શ્રી તીર્થકરને ગર્ભાવાસમાં અનુભવવી પડતી નથી અને બીજી માતાઓને ગર્ભની જે વેદના અનુભવવી પડે છે તે તીર્થકરોની માતાને ગર્ભની વેદનાને અનુભવ થતું નથી. તીર્થકરની માતાને સાધાન અવસ્થામાં અશુ આહારને પરિણામ થતો નથી. -અર્થાત્ અશુભ દેહલા થતાં નથી. સર્વ શુભ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. તીર્થકર માતાના ગર્ભમાં આવે છે ત્યારે તીર્થ કરની માતાઓમાં રૂપ, સૌભાગ્ય, કાંતિ બુદ્ધિ અને બલાદિકની વૃદ્ધિ થાય છે, મન, વચન અને કાયાના યોગ શુભ પરિણામવાળા થાય છે. ઉદારતા, ગંભીરતા અને ધર્યાદિ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy