________________
૧૦૩
હૃદયમાં દીન, દુખી અને સંસારના ત્રિવિધ તાપથી સંતપ્ત પ્રાણીઓને પરમ શાંતિનું દર્શન થયું. પ્રભુ ! સ્ફટિક સમ નિર્મળ એવા આપના હૃદયને હું ભાવપૂર્વક નમન કરૂં છું. પ્રભુ ! આત્મસાધનામાં વા સમ આ પતું એ હૃદય સંસારના દુઃખી છ પ્રત્યે સદાય દ્રવતું હતું. કમળની કોમળ પાંખડી જેમ જરાપણ તાપ લાગતાં કરમાઈ જાય તેમ દીન દુઃખી જીવને જોઈને આપનું હૃદય કરુણાથી ઉભરાઈ જતું. આપના કરુણાના જળ અનેક જીવોના દુઃખદાવાગ્નિને શાંત કર્યો છે. પ્રભુ! કમળથી પણ કમળ એવા આપના એ હદયને હું સદા પૂજું છું. અને પ્રભુ! આપના એ નિર્મળ હદયમાં વહેતી શાનિતસરિતાને તે કહેવું જ શું ? હિમ ઠંડો ઠંડો પણ જેમ વનરાજીને બાળીને ખાખ કરી નાખે છે તેમ પરમશાન્તરસભર્યા આપના અંત:કરણે ચંડકૌશિક સમા કેધથી ધમધમતા અનેક આત્માને શાંત બનાવી દીધા છે. પ્રભુ ! પરમ શાંતરસભર્યા આપને એ હદયને મારા વંદન હજો. નાથ ! વજથીય કઠોર, કમળથી પણ કોમળ, સ્ફટિકથી પણ વધુ નિર્મળ અને પરમશાંતરસભર્યા આપના હદયનું હું ભાવપૂર્વક પૂજન કરૂં છું. રવામી ! આપના હદયના પૂજનથી મારા હૃદયના ગુણોને વિકાસ થજે, આત્મસાધના માટે મને વજસમ હદયબળ પ્રાપ્ત થજો, બધા જ પ્રત્યે સમભાવભરી કરૂણા મળજો,
સ્ફટિક જેવી નિર્મળતા મળશે અને અપાર શક્તિને લાભ થજે.