SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સાધના માટે પ્રયાણ કરતાં પહેલાં આત્મા ઉપરની મેહ અને મમતાની રજે રજ ધોઈ ન નાખવી હોય એમ આપે સાંસારિક સંપત્તિને સંસારના છ માટે વહાવી દીધી. સાચેજ પ્રભુ! આપનું વાર્ષિક દીન સંસારના જેને જાણે કહેતું હોય કે વેગ અને ભગ એકીસાથે ન રહી શકે ! આત્માના પ્રેમીએ ભેગવિલાસ અને સંપત્તિને તિલાંજલિ આપવી જ રહી. ત્યાગ એ આત્મલક્ષ્મીની સાધનાને અમર મંત્ર છે. એ મંત્રની સાધના જેટલી અધૂરી તેટલી આત્મલક્ષમી ઓછી મળવાની. સ્વામી ! આત્મસિદ્ધિની સાધના કરીને સંસારના ઉદ્ધાર માટે આપે તપ, ત્યાગ અને સંયમને માગે સ્વીકારીને આ સંસારને ત્યાગ કર્યો હતે. સ્વભાવે સ્ફટિકસમ આત્મા ઉપરનાં આવરણે આપને અળખામણાં લાગતાં હતાં. સંસારમાં ભમતાં જીવોનાં દુઃખ અને દારિદ્રય જોઈ આપનું હદય દ્રવતું હતું એને ઉપાય આપે શોધ્યા હતે. જાણે દુનિયાનું આધ્યાત્મિક દારિદ્રય દૂર કરવાનો માર્ગ ઉપદેશ્યા પહેલાં દુનિયાના સાંસારિક દારિદ્રને દાવાનળ શાંત કર ન હોય! એ રીતે આપે સ્વહસ્તે વાર્ષિક દાન આપીને આપની અઢળક સંપત્તિનો ઝરે વહાવી મૂક્યું હતું. પ્રભુ! ધન્ય છે એ પુણ્યવંત આત્માઓને! જેમને આપના હાથે દાન સ્વીકારવાને સંગ મળે. નાથ ! આપ અનંત આત્મઋદ્ધિના ધણી છો. આપે અનેક જીવને ઉદ્ધાર કર્યો છે. આજે હું આપને શરણે આવ્યો છું. પ્રભુ ! આપના પૂજનથી મારા મોહનાં બંધને દૂર થશે. મારા મમતાનાં આવરણે નાશ પામજે, મારી સાંસારિક સંપત્તિની આશા
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy